ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Thursday, January 31, 2019

વ્યક્તિ પરિચય - બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

👑 બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ 👑
👑 શાસ્ત્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના તૃતીય આઘ્યાત્મિક અનુગામી હતા. સને ૧૮૬૫માં વસંતપંચમીએ ચરોતરના મહેળાવ ગામે પાટીદાર કુળમાં તેમનો જન્મ થયો હતો. ભગવાન સ્વામિનારાયણ સાથે ૧૨ વર્ષ રહેલા મહાન સંત સ્વામી વિજ્ઞાનાનંદજી પાસે ૧૯ વર્ષની વયે દીક્ષા લઈને તેઓએ યજ્ઞપુરુષ દાસ નામ સ્વિકાર્યું. વિદ્યાભ્યાસમાં અત્યંત તેજસ્વિતા, તપસ્વિતા, નિષ્કલંક સાધુતા, સનાતન અઘ્યાત્મ પરંપરાના પ્રખર વકતા અને અજોડ વ્યકિતત્વને કારણે ખૂબ નાની વયમાં તેઓએ સૌનાં દિલ જીતી લીધાં. શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસે બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્થા (બી.એ.પી.એસ.)ની સ્થાપના કરી. ભગવાન સ્વામિનારાયણના સંદેશને જગતભરમાં ફેલાવવા માટે તેમણે નાત-જાતની રૂઢિઓથી પર થઈને પ્રાગજી ભગત જેવા નિમ્ન વર્ણના વ્યકિતત્વને ગુરુ તરીકે સ્વીકાર્યાં.

👑 સતત ૮૬ વર્ષની ઉંમર સુધી ભકિતભાવપૂર્વક સનાતન ધર્મ અને ભગવાન સ્વામિનારાયણના વૈદિક સંદેશને પ્રસરાવતા રહેલા આ મહાપુરુષનાં બે પ્રખ્યાત શિષ્યો યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયનાં જાણીતા સંતો છે.

👑 બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનુ જીવન વૃતાંત:- 
👉 બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો જન્મ સવંત ૧૯૨૧  મહાસુદ પાંચમ [વસંત પંચમી ] તા 31.1.૧૮૬૫ માં થયો હતો.
👉 બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના માતાનું નામ હેત બા તથા પિતાનું નામ ધોરીભાઈ હતું,
👉 બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના બાળપણનું નામ ડુંગર ભગત હતું ,
👉 બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સવંત ૧૯૩૮ માગસર માસમાં ગૃહ ત્યાગ કર્યો હતો,
👉 બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે ભાગવતી દીક્ષા કારતક વદ ૧૯૩૯ માં લીધી હતી,
👉 બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને વર્તમાન ધરાવનાર સદગુરુ શુકાનંદ સ્વામી હતા,
👉 બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે વડતાલમાં દીક્ષા ગ્રહણ કરી હતી  ,
👉 બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને દીક્ષા અપાવનાર સંત સાધુ યજ્ઞપુરુષદાસ હતા,
👉 બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આચાર્ય વિહારી લાલજી મહારાજ  પાસેથી દીક્ષા ગ્રહણ કરી હતી,
👉 બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે  સવંત ૨૦૦૭ વૈશાખ સુદ ચોથ તા ૧૦, ૫, ૧૯૫૧ ના રોજ  દેહ ત્યાગ કર્યો હતો.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.