ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Tuesday, April 2, 2019

વ્યક્તિ પરિચય - શ્રી સ્વામિનારાયણ ભગવાન

👑 સર્વાંવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન 👑

📍 પ્રાગટ્ય: સંવત ૧૮૩૭, ચૈત્ર સુદ નોમ, સોમવાર (તા. ૦૩/૦૪/૧૭૮૧)
📍 પ્રાગટ્ય સ્થળ: ગામ – છપૈયા, તાલુકો - મનકાપુર, જિલ્લો - ગોંડા, રાજ્ય - ઉત્તરપ્રદેશ, ભારત
📍 પ્રચલિત નામ: હરિ, કૃષ્ણ, હરિકૃષ્ણ, નીલકંઠ, ઘનશ્યામ, સહજાનંદ સ્વામી, નારાયણમુનિ, શ્રીજીમહારાજ, સ્વામિનારાયણ.
📍 માતાનું નામ: ભક્તિમાતા
📍 પિતાનું નામ: ધર્મપિતા
📍 ભાઈનું નામ: રામપ્રતાપભાઈ, ઇચ્છારામભાઈ
📍 બાલ્યકાળ: સંવત ૧૮૩૭થી સંવત ૧૮૪૯ – ૧૧ વર્ષ
📍 વનવિચરણ: સંવત ૧૮૪૯થી સંવત ૧૮૫૬ – ૭ વર્ષ
📍 સત્સંગ વિચરણ: સંવત ૧૮૫૬થી સંવત ૧૮૮૬ – ૩૧ વર્ષ
📍 સ્વામિનારાયણ મહામંત્રનું પ્રાગટ્ય: સંવત ૧૮૫૮, માગશર વદ એકાદશી
📍 આશ્રિતગણ: ૨૦ લાખ હરિભક્તો અને ૩,૦૦૦ સંતો
📍 મંદિર રચના: પોતાની હયાતીમાં મોટાં મોટાં છ શિખરબદ્ધ મંદિરોની રચના કરી : અમદાવાદ, ભુજ, ધોલેરા, જૂનાગઢ, વડતાલ, ગઢડા
📍 કરેલાં મહત્ત્વનાં કાર્યો:-
૧. સર્વે સંપ્રદાયોમાં શ્રેષ્ઠ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી.
૨. તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણરૂપ ‘શિક્ષાપત્રી’ ગ્રંથ અને સૈદ્ધાંતિક ગ્રંથ ‘વચનામૃત’ની ભેટ આપી તથા સંતો-હરિભક્તોનાં પંચવર્તમાન આપ્યા.
૩. તેઓએ આત્મા-પરમાત્માનું શુધ્ધ અને સર્વોપરી જ્ઞાન આપી પોતાની સનાતન સર્વોપરી ઉપાસના પ્રવર્તાવી.
૪. તેઓએ પોતાનો સનાતન અને વિશિષ્ટ એવો ‘વિશિષ્ટાદ્વૈત’ સિધ્ધાંત આપ્યો.
૫. તેઓએ વર્તનશીલ અને ધર્મ-નિયમયુક્ત સંતોની રચના કરી, સંત-અસંતની ઓળખ કરાવી.
૬. પોતાના દિવ્ય સત્પુરુષો દ્વારા પરંપરાગત આત્યંતિક કલ્યાણનો રાજમાર્ગ ચાલુ રાખ્યો.
૭. તેઓએ સમાજમાં મહિલા વર્ગને એક અલગ અને આગવું સર્વોચ્ચ સ્થાન આપ્યું.
૮. તેઓએ સમાજના દૂષણરૂપ કેટલાક કુરિવાજો જેવા કે દૂધપીતી, સતીપ્રથા આદિ દૂર કર્યા.
૯. પોતાના અધૂરા સંકલ્પોને પૂર્ણ કરવા પોતાના મુક્ત ‘શ્રીજીસંકલ્પમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રી’ સ્વરૂપે પ્રગટ થવાના આશીર્વાદ તથા મુક્ત સ્વરૂપે પ્રગટ થઈ પોતાની સર્વોપરી ઉપાસના અને અનાદિમુક્તની સ્થિતિનું જ્ઞાન આપ્યું.
📍 અનુગામી: અ. મુ. સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી
📍 અંતર્ધાન: સંવત ૧૮૮૬, જેઠ સુદ દસમ (તા.૧ જૂન, ૧૮૩૦)
📍 અંતર્ધાન સ્થળ: ગામ - ગઢડા, તા. જિ. - બોટાદ, રાજ્ય - ગુજરાત, ભારત
📍 આલોકમાં દર્શન: ૪૯ વર્ષ, ૧૧ માસ, ૧ દિવસ (સંવત ૧૮૩૭, ચૈત્ર સુદ નોમથી સંવત ૧૮૮૬, જેઠ સુદ દસમ)

👑 સ્વામિનારાયણ ભગવાન અથવા સહજાનંદ સ્વામી (૩ એપ્રિલ ૧૭૮૧ - ૧ જૂન ૧૮૩૦) સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હતા. આ પંથમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને નર-નારાયણના અવતાર ગણવામાં આવે છે. તેમનું મૂળ નામ ઘનશ્યામ પાન્ડે હતું અને તેમનો જન્મ ઉત્તર પ્રદેશના છપૈયા ગામે ૧૭૮૧માં થયો હતો. ૧૭૯૨માં તેમણે ભારતભ્રમણ શરુ કર્યું અને રામાનંદ સ્વામીને ગુરુ બનાવ્યા. રામાનંદ સ્વામીએ ઉદ્ધવ સંપ્રદાયની ગાદી તેમને સોંપી. તેમણે અનુયાયીઓને સ્વામિનારાયણ મંત્ર આપ્યો અને સ્વામિનારાયણ તરીકે પ્રસિદ્ધ થયા. તેમના અનુયાયીઓ તેમને ભગવાનના અવતાર માનવા લાગ્યા અને આમ ઉદ્ધવ સંપ્રદાયમાંથી સ્વામિનારાયણ સંપ્રદાય બન્યો.

👑 હાલ આ સંપ્રદાયનો વ્યાપ ઘણાં દેશોમાં વધ્યો છે, ખાસ કરીને તેમના બ્રિટિશ સરકાર સાથેના સંબંધ વધુ વિકસ્યા છે. આ સંપ્રદાયમાં હિન્દુ જ નહીં પણ મુસલમાન અને પારસીઓ પણ જોડાયા છે. શ્રી સ્વામિનારાયણે તેમના જીવનકાળમાં છ મંદિરો તથા ૫૦૦ સન્યાસીઓ બનાવ્યા હતા. ૧૮૨૬માં તેમણે શિક્ષાપત્રી લખી અને ૧ જુન ૧૮૩૦ના દિવસે ગઢડા ખાતે તેમણે દેહત્યાગ કર્યો. મૃત્યુ પહેલા તેમણે તેમના ભત્રીજાને આચાર્યપદે સ્થાપી સંપ્રદાયનો કારભાર સોંપ્યો.

👑 અનુયાયીઓ તેમણે કરેલા સમાજોત્થાન, સ્ત્રી કલ્યાણ, અને યજ્ઞમાં અપાતી બલી પ્રથા બંધ કરાવવા જેવા કાર્યો માટે તેમનું પૂજન કરે છે. જ્યારે મહર્ષિ દયાનંદ વગેરે તેમની ભગવાન તરીકે પોતાને ઓળખાવવા માટે આલોચના પણ કરે છે. આજે આ સંપ્રદાયમાં લગભગ 2 કરોડ લોકો જોડાયેલા છે.

👑 જન્મ:-
અયોધ્યા પાસે આવેલા છપૈયા ગામમાં ધર્મદેવ અને ભકિત માતાની કૂખે સંવત ૧૮૩૭ના ચૈત્ર સુદ ૯ ને સોમવાર ૩ એપ્રિલ ૧૭૮૧ની રાત્રિએ ૧૦ વાગીને ૧૦ મિનિટે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો. વળી યોગાનુયોગે તે દિવસે રામનવમી પણ હતી. આથી આ દિવસને સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો સ્વામિનારાયણ જયંતી તરીકે પણ ઉજવે છે. તેમનું બાળપણમાં નામ ઘનશ્યામ પાડવામાં આવ્યું. તેમને બે ભાઈઓ હતા, જેમાં મોટાભાઈનું નામ રામપ્રતાપ પાંડે અને નાનાભાઈનું નામ ઇચ્છારામ પાંડે હતું. તેમણે સાત વર્ષની ઉમરે હિન્દુ ધર્મના ગ્રંથોનો અભ્યાસ કરી તેમાં પારંગત થયા હતા. અને ગૃહત્યાગ કરી વનમાં અને આખા ભારતનાં તીર્થોમાં આશરે ૧૨૦૦૦ કિ.મી.નું પગપાળા વિચરણ કર્યું અને પીપલાણા મુકામે રામાનંદ સ્વામી પાસેથી વિ.સં ૧૮૫૭ની કારતક સુદ અગિયારસને ૨૮ ઓક્ટોબર ૧૮૦૦ના રોજ તેમણે દીક્ષા લીધી. રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામી અને નારાયણમુનિ એમ બે નામ પાડયાં અને પોતાની સેવામાં રાખ્યા.

📕 સંપ્રદાય સ્થાપન:-
👉 સંવત ૧૮૫૮ માગશર સુદ-૧૩ના રોજ રામાનંદ સ્વામી અંતર્ધાન થયા. ત્યાર બાદ સહજાનંદ સ્વામીએ પોતાનું ‘સ્વામિનારાયણ’ નામ પાડયું. એ અરસામાં વડતાલનો જૉબનપગી, ઉપલેટાનો વેરાભાઈ જેવા ભયંકર લૂંટારાઓને સ્વામિનારાયણ ભગવાને પોતાના અનુયાયી બનાવ્યા. બાળકીઓને દૂધ પીતી કરવાના રિવાજ સામે શ્રી સ્વામિનારાયણ ભગવાને લાલબત્તી ધરી અને અનેકને સમજાવી સમાજમાંથી આ પ્રથા નાબૂદ કરવાની ચળવળ જગાવી. વળી તેમણે સતી પ્રથા, પશુબલિ અને વ્યસનોનો પણ વિરોધ કર્યો. તેમણે ૧૨૦૦થી પણ વધુ લોકોને દિક્ષા આપી અને અનેક અનુયાયીઓ બનાવ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ મંદિરની સ્થાપના અમદાવાદમાં કરવામાં આવી. આ મંદિરમાં નરનારાયણ દેવની સ્થાપના કરી.

📕 શ્રી રામાનંદ સ્વામી દ્વારા સંપ્રદાયની સ્થાપના:-
👉 સ્વામિનારાયણ સંપ્રદાય રામાનંદ સ્વામીને ઉદ્ધવજીનો અવતાર માને છે. તેમનો જન્મ વિ.સં.૧૭૯૫ (ઇ.સ.૧૭૩૫)માં અયોધ્યામાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમનું નાનપણનું નામ રામ શર્મા હતું. ઉપનયન સંસ્કાર પછી તેમણે નાની ઉંમરમાં જ ઘર છોડ્યું. તીર્થયાત્રા કરી સૌરાષ્ટ્રમાં તળાજા ગામે કાશીરામ નામના શાસ્ત્રવેત્તા પાસે સંસ્કૃત ગ્રંથોનો અભ્યાસ કર્યો. તે પછી ગિરનારમાં રહેલાં આત્માનંદ મુનીને મળ્યા. તેમની પાસે દીક્ષા લઇ રામાનંદ નામ ધારણ કર્યું. તેઓ શ્રીરંગમમાં શ્રી રામાનુજાચાર્યની ગાદીએ ગયા અને ત્યાં તેમની ભક્તિ કરી ત્યારે કહેવાય છે કે સ્વપ્નમાં શ્રી રામાનુજાચાર્યે તેમને વૈષ્ણવી દીક્ષા અને મંત્ર આપ્યાં. ત્યાં રહેલા રામાનુજ સંપ્રદાયના શિષ્યો સાથે વિખવાદ થતા રામાનંદ સ્વામી ત્યાંથી ચાલી નીક્ળ્યા અને વૃંદાવન આવ્યા. શ્રી સ્વામિનારાયણનાં માતા-પિતા ધર્મદેવ અને ભક્તિમાતા પણ તેમને વૃંદાવનમાં જ મળ્યા અને તેમની પાસેથી દિક્ષા લઈ તેમના શિષ્ય બન્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ તેમને વિષ્ણુ ભગવાનના અવતાર માને છે અને તેમના કાર્યોને કલિયુગનો ઉદ્ધાર માને છે.

📕 નરનારાયણ દેવ, કાલુપુર, અમદાવાદ:-
👉 રેમન્ડ વિલીયમ્સ નામના ઇતિહાસવિદ્‌ની નોંધ મુજબ જ્યારે સ્વામિનારાયણ મૃત્યુ પામ્યા ત્યારે તેમના અનુયાયીઓની સંખ્યા ૧૭ લાખ હતી અને આજે આ સંખ્યા બે કરોડ જેવી છે. વચનામૃતમાં તેમણે જણાવ્યા મુજબ, મનુષ્ય ભગવાનને પ્રત્યક્ષ જોઈ નથી શકતો તેથી ભગવાન અવતાર લઈ તેને દર્શન આપે છે. જો કે, પુરાવા તથા આધાર ન હોવા છતા, તેમના અનુયાયીઓ તેમને વિષ્ણુ ભગવાનના અવતાર માને છે. સાંપ્રદાયિક વાર્તા મુજબ દુર્વાસાઋષિના શ્રાપ ને લીધે શ્રીહરિએ સ્વામિનારાયણ રુપે અવતાર લીધો એવું કહેવામાં આવે છે. વળી, કેટલાક અનુયાયીઓ તેમને કૃષ્ણના અવતાર પણ ગણાવે છે. સ્વામિનારાયણે પોતાને જ રેજીનાલ્ડ હેબર અને લોર્ડ બિશપ સમક્ષ કલકત્તા ખાતે ભગવાનનો અંશ ગણાવ્યા હતા.

📕 જીવન ચરિત્ર:-
👉 સ્વામિનારાયણ પાંચ વર્ષનાં થયા ત્યારે પિતા ધર્મદેવે તેમને ભણાવવાનું શરૂ કર્યું. પિતા પાસેથી બાળ ઘનશ્યામ ચાર વેદ, રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવતમ્, પુરાણો, શ્રી રામાનુજાચાર્ય પ્રણિત શ્રી ભાષ્ય, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ વગેરે ભણાવ્યા. આ બધાં શાસ્ત્રોનો સાર તેમણે સંગ્રહિત કરી, પોતાને માટે એક ગુટકો બનાવી લીધો. માતા અને પિતાનાં દેહોત્સર્ગ બાદ અગિયાર વર્ષના બાળ ઘનશ્યામ ગૃહત્યાગ કરીને વન વિચરણ કરવા નીકળી પડ્યા. વનવિચરણ દરમિયાન ઘનશ્યામનો તપસ્વીના જેવો વેષ હોવાથી તેઓ નીલકંઠ તરીકે ઓળખાયા. નીલકંઠવર્ણીએ સાત વર્ષ સુધી દેશનાં જુદાજુદા વિભાગોમાં પગપાળા પ્રવાસ કર્યો. સૌ પ્રથમ તેઓ હિમાલયમાં પુલહાશ્રમમાં ગયા. ત્યાર બાદ બુટોલપત્તન થઇ આગળ જતાં નેપાળમાં ગોપાળ યોગીનો મેળાપ થયો. તેમની પાસે એક વર્ષ રહી અષ્ટાંગ યોગ શીખ્યા. ત્યાર બાદ તેમણે વિવિધ ક્ષેત્રોમાં ફરી અનુયાયીઓ બનાવ્યા અને અંતે રામાનંદ સ્વામી સાથે મેળાપ થયો.

📕 રામાનંદ સ્વામી દ્વારા દિક્ષા:-
👉 ગુરુ રામાનંદ સ્વામીએ નીલકંઠવર્ણીને વિ.સં.૧૮૫૭ કાર્તિક સુદી એકાદશીને દિવસે (તા.૨૮-૧૦-૧૮૦૦) મહાદિક્ષા આપી અને તેમનાં સહજાનંદ સ્વામી તથા નારાયણ મુનિ એમ બે નામ પાડ્યાં. મહાદિક્ષા આપ્યા પછી ગુરુ રામાનંદ સ્વામીએ વિ.સં.૧૮૫૮ કાર્તિક સુદી એકાદશી (તા.૧૬-૧૧-૧૮૦૧)નાં રોજ પોતાના આશ્રિતો-અનુયાયીઓ સમક્ષ પોતે સ્થાપેલા ઉદ્ધવ સંપ્રદાયનું આચાર્યપદ સહજાનંદ સ્વામીને સોંપ્યું. સંવત ૧૮૫૮માં કારતક સુદ એકાદશી ૧૬ નવેમ્બર ૧૮૦૧ના દિવસે જેતપુરમાં રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને પોતાની ગાદી સુપરત કરી. સહજાનંદ સ્વામીએ ગુરુને પ્રણામ કર્યા ત્યારે રામાનંદ સ્વામીએ પ્રસન્ન થઇને વરદાન માગવા કહ્યું ત્યારે સહજાનંદ સ્વામીએ આ બે વરદાન માગ્યાં:
તમારા ભક્તને એક વીંછીનું દુ:ખ થવાનું હોય તો તેને બદલે એ દુ:ખ મને ભલે રુંવાડે રુંવાડે કોટિગણું થાઓ પણ તે ભક્તને ન થાઓ.
તમારા ભક્તનાં કર્મમાં રામપાત્ર આવવાનું લખ્યું હોય તો તે રામપાત્ર મને આવો પણ તે ભક્ત અન્નવસ્ત્રે દુ:ખી ન થાઓ.
રામાનંદ સ્વામીએ આ સંપ્રદાયને સહજાનંદ સ્વામીના હાથમાં સોંપ્યા બાદ એક મહિના બાદ મૃત્યુલોક ત્યાગ્યો. (સં.૧૮૫૮ માગશર સુદ તેરસ તા.૧૭-૧૨-૧૮૦૧)

📕 સંપ્રદાયનો મત – વિશિષ્ટાદ્વૈત:-
👉હિંદુધર્મના સંપ્રદાયોમાં દરેક સંપ્રદાયને પોતાની તાત્વિક-સૈદ્ધાંતિક પીઠિકા હોય છે જેને મત પણ કહે છે. જીવ, માયા, ઇશ્વર, અક્ષર (બ્રહ્મ) અને પરમેશ્વર (પરબ્રહ્મ) વચ્ચેનાં પરસ્પર સંબંધનું સ્વરૂપ કેવું છે તે અંગેની માન્યતા એટલે મત. આ સૈદ્ધાંતિક માન્યતા કે મતની ભિન્નતાને લીધે જ વિવિધ સંપ્રદાયોનું અસ્તિત્વ છે. શ્રી સ્વામિનારાયણે પોતાના સિદ્ધાંત તરીકે શ્રી રામાનુજાચાર્યજીના વિશિષ્ટાદ્વૈત મતનાં સિદ્ધાંતનું અનુમોદન કર્યું. પરંતુ રામાનુજાચાર્યના સિદ્ધાંતને તેમણે એક નવા આયામ સાથે સ્વીકાર્યો છે, જેને કારણે તેમના સિદ્ધાંતમાં તેમના દર્શનની એક આગવી છાંટ ઉભી થાય છે. મોક્ષ કે આત્યંતિક કલ્યાણની સ્થિતિમાં મુક્ત જીવ અને પરમેશ્વરના સંબંધના સ્વરૂપ અંગેનો આ પ્રકારનો ખ્યાલ વિશિષ્ટાદ્વૈત મતનું હાર્દ છે.

📕 આચાર સંહિતા:-
👉 સ્વામિનારાયણ સંપ્રદાયમાં ત્યાગીઓના ત્રણ પ્રકારો પાડવામાં આવ્યા છે. બ્રહ્મચારી, સાધુ અને પાર્ષદ. બાહ્મણ હોય અને ત્યાગી બને તે બ્રહ્મચારી ગણાય છે. તેમના અને સાધુઓને પાળવાના નિયમો લગભગ એકસરખા છે. માત્ર બ્રહ્મચારી દેવસેવા કરે અને નીચેનું વસ્ત્ર સફેદ તથા ઉપરનું વસ્ત્ર ભગવું પહેરે તેવી પ્રથા છે. સાધુઓ ભગવા વસ્ત્ર પહેરે છે. પાર્ષદો સફેદ વસ્ત્રો પહેરે છે. ત્યાગીઓ માટે મુખ્યત્વે પાંચ નિયમો બતાવ્યા છે; નિષ્કામ, નિર્લોભ, નિ:સ્વાદ, નિ:સ્નેહ અને નિર્માન. વળી ગૃહસ્થનાં પણ દારૂ ન પીવો, ચોરી ન કરવી, માંસ ન ખાવું, વ્યભિચાર ન કરવો અને વટલાવું નહી કે વટલાવવું નહીં એવા પાંચ નિયમો સૂચવ્યા છે.

📕 સંપ્રદાયના શાસ્ત્રો:-
1) શિક્ષાપત્રી શ્રી સ્વામિનારાયણે સ્વયં સંવત ૧૮૮૨ મહા સુદિ પંચમીને દિવસે સ્વહસ્તે શિક્ષાપત્રી લખી. શિક્ષાપત્રીમાં વ્યવહાર અને આચારની નિયમાવલી છે. શિક્ષાપત્રીને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ શ્રુતિ તરીકે માને છે.
2) વચનામૃત જુદાં જુદાં સ્થળે અને સમયે શ્રી સ્વામિનારાયણે તેમનાં અનુયાયીઓની સભામાં જે જ્ઞાનચર્ચા કરી તેમની વાણીનો સંગ્રહ છે. વચનામૃતોનો ક્રમ વિષયાનુસાર નહિ પણ સમયાનુસાર છે. તેમાં ૨૬૨ ઉપદેશો-વચનામૃતોને પ્રમાણ ગણવામાં આવ્યાં છે. આ વચનામૃતોનો સંગ્રહ અને સંપાદન કરવાનું કાર્ય મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામીએ કર્યું. અમદાવાદ દેશમાં પાછળથી નવા ૧૧ વચનામૃતો શોધાયા હતા. જેથી અમદાવાદ દેશમાં ૨૭૩ ઉપદેશો-વચનામૃતોને પ્રમાણ ગણવામાં આવ્યાં છે.
3) સત્સંગીજીવન સંસ્કૃતમાં રચાયેલા અને પાંચ ભાગમાં (જેને પ્રકરણ નામ અપાયા છે) વહેંચાયેલા આ ગ્રંથનું સ્થાન સંપ્રદાયમાં ઉપરનાં બે ગ્રંથો બાદ કરતાં પ્રથમ નંબરનું છે. “સંપ્રદાયનાં ધર્મશાસ્ત્ર” તરીકે આદર પામેલા આ ગ્રંથમાં શ્રી સ્વામિનારાયણના જીવન ચરિત્ર ઉપરાંત શિક્ષાપત્રી તથા સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતોનો સમાવેશ થાય છે.
4) ભક્તચિંતામણી નિષ્કુળાનંદ સ્વામીએ લોકભોગ્ય ભાષામાં સત્સંગી-જીવન જેવો પણ સરળ ગુજરાતી પદ્યમાં ભક્તચિંતામણી નામનો ગ્રંથ લખ્યો. તેમાં શ્રી સ્વામિનારાયણનું સંપૂર્ણ જીવનવૃતાંત તથા તેમનું વિચરણ, સરળ અને ભાવવાહી શૈલીમાં, હોવાથી સામાન્ય અક્ષરજ્ઞાન ધરાવતા લોકોને પણ તે સુગમ બન્યો છે.
5) સત્સંગીભૂષણ વાસુદેવાનંદ મુનિએ આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચ્યો છે. તેમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું જીવન ચરિત્ર અને તેમના અવતાર પ્રયોજનનું ભક્તિપૂર્ણ વર્ણન છે. સત્સંગીજીવન ધર્મપ્રધાન હોઇને ધર્મશાસ્ત્ર ગણાય છે તેમ સત્સંગીભુષણ ભક્તિપ્રધાન હોઇને સંપ્રદાયમાં ભક્તિશાસ્ત્ર તરીકે સ્થાન પામ્યો છે.
6) શ્રી હરિદિગ્વિજય નિત્યાનંદ સ્વામીએ આ પદ્યકાવ્ય સંસ્કૃતમાં રચેલ છે. તેમાં સંપ્રદાયની અને ખાસ કરીને વિશિષ્ટાદ્વૈત તત્ત્વ સિદ્ધાંતની વિદ્વત્તાપૂર્ણ છણાવટ છે.

👑 આ ઉપરાંત અનેક શાસ્ત્રોની રચના સંપ્રદાયના સંતોએ કરેલી છે. શ્રી સ્વામિનારાયણે સંપ્રદાયની પુષ્ટિ અને વૃદ્ધિ માટે સંપ્રદાય સંબંધી શાસ્ત્રોને ખૂબ જ મહત્વ આપ્યું છે.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

ચિત્ર પરિચય - અક્ષરધામ, દિલ્હી

🎪 અક્ષરધામ, દિલ્હી 🎪
👉 ધર્મ: હિંદુ
👉 દેવી-દેવતા: ભગવાન સ્વામિનારાયાણ
👉 માલિકી: બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)
👉 સંચાલન સમિતિ: બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)
👉 સ્થાન: નોઇડા મોડ. દિલ્હી
👉 દેશ: ભારત
👉 અક્ષાંસ-રેખાંશ: 28°36′45″N 77°16′38″E
👉 સ્થાપત્ય પ્રકાર: હિંદુ પ્રાચીન મંદિરકળા
👉 સ્થાપના તારીખ: ૬ નવેમ્બર, ૨૦૦૫
👉 મંદિરો: ૧
👉 સ્મારકો: ૫
👉 વેબસાઇટ: http://www.akshardham.com

🎪 અક્ષરધામ (Hindi: अक्षरधाम) એ દિલ્હીમાં આવેલું હિંદુ મંદિર છે. આ મંદિર સ્થાનિક લોકોમાં સ્વામિનારાયણ અક્ષરધામ તરિકે અને બહોળા વપરાશમાં દિલ્હી અક્ષરધામ તરિકે પણ જાણીતું છે. આ અક્ષરધામ ૧૦૦૦૦ વર્ષ જુની ભારતીય અને હિંદુ સંસ્કૃતિની ગરિમા, સુંદરતા, સાંસ્કૃતિક પરંપરા, અધ્યાત્મ અને શિલ્પ-સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ છે. આ સ્વામીનારાયણ અક્ષરધામ ભારતીય પુરાતન શિલ્પ-સ્થાપત્ય, રીત-રીવાજો, કળા, આત્યંતિક મુલ્યો વગેરેની અનુભૂતિ કરાવે છે. મંદિરનાં પ્રેરણા સ્ત્રોત પ્રમુખ સ્વામી મહારાજ છે કે જે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનાં પ્રમુખ છે અને હજારો સ્વામિનારાયણ ધર્મનાં અનુયાયીઓનાં ધર્મ ગુરુ છે. ૩,૦૦૦ સ્વયંસેવકો અને ૭,૦૦૦ કારીગરોએ ભેગા થઇને આ મંદિરનું નિર્માણ કર્યું છે.

🎪 સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીની મુલાકાતે આવતાં ૭૦% પ્રવાસિઓને આકર્ષે છે. 6 નવેમ્બર, 2005 નાં જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. મંદીર, યમુના નદીનાં કિનારા પર આવેલું છે અને તેને લગોલગ ૨૦૧૦માં યોજાનારી કોમનવેલ્થ રમતો માટેનાં સુચિત વિસ્તારની જગ્યા આવેલી છે. મંદિર સંકુલનાં કેન્દ્ર સ્થાને એક વિશાળ ગુંબજ ધરાવતું સ્થાપત્ય આવેલું છે, જેનો આખોજ ગુંબજ પત્થરમાંથિઇ કોતરણી કરીને બનાવેલો છે. આ ઉપરાંત સંકુલમાં ભગવાન સ્વામિનારાયણનાં જીવનની અમુક ઘટનાઓ અને ભારતનાં ઇતિહાસ ઉપર પ્રદર્શનો, આઇમેક્સ સિનેમા, સંગીતમય ફુવારા અને વિશાળ સુશોભિત બગીચો પણ આવેલાં છે. સ્વામિનારાયાનણ ધર્મની માન્યતા ને આધારે આ મંદિરનુ નામ અક્ષરધામ આપવામા આવ્યુ છે.


🎪 મુખ્ય સ્મારક-મંદિર:-
અક્ષરધામ પરિસરનું મુખ્ય સ્મારક કે જે સમગ્ર પરિસરના કેન્દ્રમાં આવેલુ છે તેની લંબાઇ ૩૫૬ ફૂટ, પહોળાઇ ૩૧૬ ફૂટ અને ઉંચાઇ ૧૪૧.૩ ફૂટ છે. આ સમગ્ર મંદિર રાજસ્થાની ગુલાબી પથ્થર અને ઇટાલિયન સફેદ આરસમાંથી બનાવામાં આવેલુ છે અને તેમાં સ્ટીલ કે કોંક્રિટનો પ્રયોગ કરવામાં આવ્યો નથી. આ સમગ્ર મંદિરનું બાંધકામ પ્રાચીન સનાતન હિંદુ સ્થાપત્યકળા, વાસ્તુકળા અને મંદિરકળાના આધારે કરવામાં આવેલુ છે. આ મંદિર ૨૩૪ સુશોભિત કંડારેલા સ્તંભો, ૯ સુશોભિત ગુંબજો, ૨૦ ચતુષફલકીય શિખર ધરાવે છે. સમગ્ર મંદિરની બાહ્ય બાજુ હિંદુ દેવી-દેવતાઓ, સાધુઓ, ઋષિઓ, આચાર્યો વગેરેની ૨૦૦૦૦ જેટલી પ્રતિમાઓ કંડારેલી છે.

🎪 આ સ્મારકની મુખ્ય વિશિષ્ટતા ગજેન્દ્ર પીઠ(હિંદુ સંસ્કૃતિમા હાથીની ઉપયોગિતા દર્શાવવા માટે હાથીનો મંદિરના આધાર તરીકે ઉપયોગ) છે. આ સમગ્ર સ્મારક ૧૪૮ હાથીની પીઠ પર બનેલુ છે જેમનુ કુલ વજન ૩૦૦૦ ટન છે. આ ઉપરાંત ૪૨ પશુ-પક્ષીઓ અને ૧૨૫ માણસ અને દેવો ની પથ્થરમાંથી બનાવેલ પ્રતિમાઓ નો પણ સમાવેશ ગજેન્દ્ર પીઠમાં થાય છે.

🎪 સહજાનંદ દર્શન:-
સહજાનંદ દર્શન એ અક્ષરધામ પરિસરમાં આવેલો પ્રથમ પ્રદર્શન ખંડ છે. આ એક ઓડિઓ એનિમેટ્રોનિક્સ(હાલત-ચાલતા રોબોટ) શો છે જેમાં ભગવાન સ્વામીનારાયણનાં જીવન પ્રસંગો દ્વારા ભારતીય સનાતન સંસ્કૃતિનાં ખુબજ મહત્વના સંદેશાઓ આપવામાં આવેલા છે. જેમકે અહિંસા, પ્રાર્થના, શાકાહાર, કુટુંબ ભાવના, નીતિશાસ્ત્ર વગેરે. આ સમગ્ર મહત્વના મુદ્દાઓ ને ૧૫ ત્રિપરિમાણીય રોબોટીક્સ પ્રતિમાઓ, ફાઈબર ઓપ્ટીક્સ, ધ્વની પ્રકાશ ઈફેક્ટ, સંવાદો અને સંગીત ધ્વારા દર્શાવામાં આવેલા છે. સમગ્ર પ્રદર્શન માં ૧૮મી સદીનું વાતાવરણ ઉભું કરવામાં આવેલું છે.

🎪 નીલકંઠ દર્શન:-
નીલકંઠ દર્શન પ્રદર્શન ખંડમાં ભારતની સૌપ્રથમ આઇમેક્સ ફિલ્મ નીલકંઠ દર્શન દર્શાવામાં આવે છે.[૮] આ ફિલ્મ ૮૫ ફૂટ X ૬૫ ફૂટના પડદા પર બતાવામાં આવે છે. આ ફિલ્મમાં નીલકંઠ વર્ણી એ ૧૮ મી સદીમાં સાડા સાત વર્ષ સુધી ભારતભરની જે યાત્રા કરેલી એ પ્રદર્શિત કરવામાં આવે છે. આ ફિલ્મનું નિર્દેશન ઉત્તરમાં હિમાલયના બર્ફીલા પર્વતો થી લઈને દક્ષીણનાં કેરાલાના દરિયાકિનારા સુધી થયેલું છે. આ વિશાળ ફોર્મેટ ફિલ્મમાં ભારતના પવિત્ર સ્થળો, ભારતના ધાર્મિક સ્થળો અને ભારતનાં ઉત્સવો અને પરંપરા ને વિશાળ પડદા પર દર્શાવામાં આવે છે. આ ફિલ્માં માં ૪૫૦૦૦ લોકો એ પોતાનો અભિનય આપ્યો છે અને સમગ્ર ભારતભર માં ૧૦૮ જગ્યા એ નિર્દેશન થયેલું છે.

આ ફિલ્મની આંતરરાષ્ટ્રિય આવૃતિ મિસ્ટિક ઇન્ડિયા તરિકે સમગ્ર જગતના આઇમેક્સ સિનેમાઘરોમાં ૨૦૦૫ માં પ્રકાશન કરવામાં આવી હતી. આ પ્રદર્શન ખંડની બહાર ૨૭ ફૂટ ઉંચી નીલકંઠ વર્ણીની કાંસ્ય પ્રતિમા મુકવામાં આવેલી છે.

🎪 સંસ્કૃતિ વિહાર:-
સંસ્કૃતિ વિહાર એ ત્રીજું અને અંતિમ પ્રદર્શન ખંડ છે જેમાં ભારતના ભવ્ય અને ઐતિહાસિક વારસાને દર્શાવામાં આવ્યો છે. આ ભવ્ય અને સમૃદ્ધ ભારતના વારસાને મયુર આકારની નાવડી માં બેસીને માણવાની હોય છે. આ પ્રદર્શન ખંડ માં એક કૃત્રિમ નદી બનાવામાં આવી છે. જેના ઉપર હોડી ઓટોમેટિક ચાલે છે અને સમગ્ર ભારત ની ઐતિહાસિક અને ભવ્ય સંસ્કૃતિની યાત્રા કરાવે છે. આ સંપૂર્ણ સંસ્કૃતિ વિહાર ૧૨ મિનીટ ની છે. જેમાં રસાયણશાળા, જગતનું સૌ પ્રથમ બજાર, યોગશાળા, તક્ષશિલા વિદ્યાવિહાર, કૈલાસ મંદિર વગેરેની અદભુત ઝાંખી લાઈટીંગ અને કોમેન્ટ્રી દ્વારા કરવામાં આવે છે.

🎪 સંગીતમય ફુવારા:-
અક્ષરધામ સંકુલમાં આવેલ સંગીતમય ફુવારા એ અનેરું આકર્ષણનું કેન્દ્ર છે. જે અજોડ છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીના માધ્યમથી તેમાં ભારતીય સંસ્કૃતિના ઉપનિષદોની વાતો રસપ્રદ રીતે કહેવામાં આવે છે.

🎪 અન્ય આકર્ષણો:-
👉 યોગી હૃદય કમળ
👉 નારાયણ સરોવર
👉 નીલકંઠ અભિષેક
👉 પરિક્રમા
👉 મયુર દ્વાર
મોર એ સૌંદર્ય અને સંયમનું પ્રતિક છે. આ ઉપરાંત તે ભારતનુ રાષ્ટ્રિય પક્ષી છે. મયુર દ્વાર એ અક્ષરધામ નો સ્વાગત દ્વાર છે જેમાં એક બીજા સાથે સંકળાયેલ મયુર તોરણ અને કલાત્મક સ્તંભો પર કંડારેલા અને આનંદ નૃત્ય કરી રહેલા ૮૬૧ મયુર પ્રવાસીઓનું અક્ષરધામ પરિસરમાં સ્વાગત કરે છે. આ કૃતિ ભારતીય શિલ્પ કળા ની આગવી ઓળખાણ છે.
👉 આર્ષ વિભાગ
👉 પ્રેમવતી આહારગૃહ

🎪 ભારતને સ્થાપત્યોની ભૂમિ માનવામાં આવે છે, સ્થાપત્યોની કલા કોતરણીને કારણે અનેક સ્થાન આજે મુસાફરોના પ્રિય લક્ષ્યસ્થાન બન્યા છે. રાજવીઓએ પોતાના ઠાઠ ધરાવતા અનેક મહેલ ઊભા કર્યા, હવેલી અને કિલ્લાઓ બનાવડાવ્યા. આવી વિરાસત અને અવિસ્મરણીય બાંધણીઓને કારણે જ યુનેસ્કો વલ્ડ હેરિટેજ સાઈટમાં ભારતની 35થી વધારે સાઈટ નોંધાયેલી છે. માત્ર હવેલીઓ અને કિલ્લાઓ જ નહીં પણ મંદિર અને ઐતિહાસિક સ્થળનો પણ તેમા સમાવેશ થાય છે. આ જ કોતરણીઓ અને સ્થાપત્યોમાંથી પ્રેરણા લઈને નવા મંદિર અને હવેલીઓ તૈયાર થાય છે. અક્ષરધામ તે પૈકીનું એક છે. જેણે વૈશ્વિક સ્તરે ડીઝાઈનિંગ અને આકૃતિઓના નવા દ્વાર ખોલ્યા છે.

🎪 અક્ષરધામ વિશે અનેક સત્યો અને તથ્યો વાંચેલા કે જોયેલા હશે. પણ દિલ્હીનું અક્ષરધામ વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. ફસ્ટ ઈમ્પ્રેશન ઈઝ લાસ્ટ ઈમ્પ્રેશન આ કહેવતને તે પુરવાર કરે છે. ભવ્યતા, વિશાળતા અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર માનવામાં આવે છે. દેશના અતલ્ય આર્ટ સ્કલ્પચર અહીં દરેક દિવાલ અને ખુણામાં જોવા મળશે. જેમાં એક પણ ડીઝાઈન મંદિર પરિસરમાં અન્ય કોઈ જગ્યાએ પુનરાવર્તિત થતી નથી. આ મંદિર તૈયાર થતા પાંચ વર્ષનો સમય લાગ્યો હતો.

🎪 દિલ્હી અક્ષરધામ મંદિરનું નામ ગિનિસબુક ઓફમાં સામેલ છે. સૌથી વિશાળ હિન્દુ મંદિર તરીકે તેને ગિનિસબુકમાં સ્થાન મળ્યું છે. 316 ફૂટ પહોળું અને 141 ફૂટની ઊંચાઈ ધરાવતું મંદિર દુનિયામાં બીજે ક્યાંય નથી. સમગ્ર મંદિર 86,342 સ્કવેર ફૂટમાં પથરાયેલું છે. ભારતની પ્રાચીન કલા-કૃતિ અને અનેકવિધ કોતરણીના મંદિર પરિસરમાં દર્શન થાય છે. જાણીને આશ્ચર્ય લાગશે કે, આ મંદિરમાં ક્યાંય સ્ટીલનો ઉપયોગ થયો નથી. 11,000 કલાકારો અને સ્વયંસેવકોએ આ મંદિરના જુદા જુદા વિભાગો તૈયાર કર્યા છે.

🎪 નારાયણ સરોવર મંદિરમાં આવેલું વિશાળ તળાવ છે. આ પવિત્ર તળાવની ખાસ વાત એ છે કે, આ તળાવમાં દેશભરના જુદા જુદા 151 તળાવના અને નદીના પાણી એકઠા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તળાવની ફરતે કુલ 108 ગુરુમુખ છે. જેને હિન્દુધર્મના 108 દેવતાઓ માનનામાં આવે છે. આ ઉપરાંત સમગ્ર મંદિરની પરિક્રમા કરવા માટે 3,000 ફૂટનો પાથવે તૈયાર કરાયો છે. સમગ્ર પરિક્રમા દરમિયાન મંદિરના પરિસરમાં રહેલા જુદા જુદા ગાર્ડનનો અદ્દભૂત નઝારો જોવા મળશે. પરિક્રમાની બે ઈમારત 1152 થાંભલાઓ અને 145 નાની-મોટી બારી ધરાવે છે.

🎪 મંદિરમાં આવેલા ભરત ઉપવનને ગાર્ડન ઓફ ઈન્ડિયા પણ કહેવામાં આવે છે. કાંસાની મૂર્તિઓ અને વિશાળપટમાં ફેલાયેલી લીલોતરી મનને મંત્રમુગ્ધ અને આંખોને અનિમેષ કરી દે છે. અહીં ગાર્ડનમાં દેશના ક્રાંતિકારી, સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાની અને બીજા મહાન વ્યક્તિઓની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. આ એક બોટાનિકલ ગાર્ડન છે જ્યાં અનેક પ્રકારની આયુર્વેદિક વનસ્પતિનું જતન કરવામાં આવે છે, ઉછેરવામાં આવે છે.

🎪 સૌથી મોટું પ્રેમવર્તી આહાર ગૃહ દિલ્હી અક્ષરધામ મંદિરમાં છે. સમગ્ર મંદિરના જુદા જુદા વિભાગના દર્શન કર્યા બાદ થાકીને અહીં વિસામો ખાવા જેવો છે. આ સાથે જ અહીં ઉદરતૃપ્તિ કરી શકાય એવી અનેક વાનગીઓ મળી રહે છે. આ રેસ્ટોરાંની ડીઝાઈન મહારાષ્ટ્રના અંજતા ઈલોરાની ગુફા પરથી તૈયાર કરવામાં આવી છે. વેસ્ટર્ન જ નહીં ટ્રેડિનલ ડીશનો ટેસ્ટ પણ અહીં કરવા જેવો છે.

🎪 મંદિરની મુલાકાત વખતે મંદિરમાં આવેલા લોટર ગાર્ડનની મુલાકાત અચૂક લેવી જોઈએ, જ્યાં કમળ આકારમાં એક કૃતિ તૈયાર કરવામાં આવી છે, જેના મધ્યભાગમાં તૈયાર કરાયેલા પાથ વે પરથી સામેની તરફ જઈ શકાય છે અને નીચે પણ ઊતરી શકાય છે. તેના આકાર કમળ જેવો હોવાથી તેને લોટસ ગાર્ડન કહેવાય છે. આ કમળની અંદર તરફ સ્વામિ વિવેકાનંદ, શેક્સપીયર, માર્ટિન લ્યુથર અને બીજા મહાન વ્યક્તિઓના ક્વોટ લખેલા છે.

🎪 અહીં જુદા જુદા વિભાગોની રચના અને કોતરણીને સમજવા માટે ઓછામાં ઓછા ત્રણ દિવસનો સમય લાગે છે. આ મંદિરનું લોકાર્પણ નવેમ્બર 2005માં પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે અહીંના તમામ વિભાગની મુલાકાત લીધી હતી. વૈદિક શાસ્ત્ર અનુસાર આ મંદિરના દસ દરવાજા તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે તમામ દરવાજા પાસેથી રસ્તાઓ મુખ્ય મંદિર તરફ જાય છે.


📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

Monday, April 1, 2019

વ્યક્તિ પરિચય - ફિલ્ડ માર્શલ સામ માણેકશા

📕 ફિલ્ડ માર્શલ સામ માણેકશા - જનરલ સામ માણેકશા 📕

📕 સામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશા ( ત્રીજી એપ્રિલ , ૧૯૧૪ - સત્તાવીસ જૂન, ૨૦૦૮ ) ભારતીય સેનાના અધ્યક્ષ હતા જેમના નેતૃત્વમાં ભારત દેશના લશ્કરે ઈ.સ. ૧૯૭૧માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો, જેના પરિણામ સ્વરૂપે બાંગલાદેશનો જન્મ થયો હતો.

📕 જીવનવૃતાંત:-
👉 સામ માણેકશાનો જન્મ ૩ એપ્રિલ, ૧૯૧૪ના દિવસે અમૃતસર શહેરમાં એક પારસી પરિવારમાં થયો હતો. એમનો પરિવાર ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ શહેરમાંથી પંજાબ રાજ્યમાં આવી ગયું હતું.

📕 માણેકશાએ પ્રારંભિક શિક્ષણ અમૃતસર ખાતે મેળવ્યું હતું, ત્યારબાદ તેઓ નૈનીતાલ શહેર ખાતે શેરવુડ કૉલેજ માં દાખલ થયા હતા. તેઓ દેહરાદૂન ખાતે ઇંડિયન મિલિટ્રી એકેડમીના પહેલા બેચ માટે પસંદગી પામેલા કુલ ૪૦ છાત્રો પૈકીના એક હતા. ત્યાંથી તેઓ કમીશન પ્રાપ્તિ થયા બાદ ભારતીય સેનામાં ભરતી થયા હતા.

📕 ઈ.સ. ૧૯૩૭માં એક સાર્વજનિક સમારોહમાં ભાગ લેવા માટે લાહોર ગયેલા સામની મુલાકાત સિલ્લો બોડે સાથે થઈ હતી. બે સાલ જેટલા સમય ચાલેલી આ દોસ્તી ૨૨ એપ્રિલ ૧૯૩૯ ના વિવાહ માં પરિણામી. ૧૯૬૯ ના તેમણે સેનાધ્યક્ષ બનાવવામાં આવ્યાં. ૧૯૭૩ માં તેમણે ફીલ્ડ માર્શલનું સન્માન પ્રદાન કરાયું.

📕 માણેકશા ખુલીને પોતાની વાત કરવા વાળા હતાં. તેમણે એક બાર તત્કાલીન પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધી ને 'મૈડમ' કહવા નો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે આ સંબોધન 'એક ખાસ વર્ગ' માટે થાય છે. માણેકશા એ કહ્યું કે તેઓ તેમને પ્રધાનમંત્રી જ કહેશે.

📕 ભારતીય સૈન્યના ભૂમિદળના ભૂતપૂર્વ વડા જનરલ સામ હોરમસજી ફામની જમશેદજી માણેકશાનો જન્મ તા. ૩/૪/૧૯૧૪ના રોજ અમૃતસરમાં થયો હતો. પિતાનું નામ હોરમસજી હતું. તેમણે અમૃતસરની કોલેજમાં શિક્ષણ લીધું હતું. પિતાની જેમ તેમને ડોક્ટર થવું હતું પરંતુ દહેરાદૂનમાં ઉપડેલી ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં નામ નોધાવ્યું. તેમાં પસંદગી થઇ અને તેમના જીવનની દિશા બદલાઈ ગઈ. ઈ.સ. ૧૯૩૪મ કમિશન્ડઓફિસર બન્યા બાદ કેપ્ટન બન્યા. ઈ.સ. ૧૯૪૨માં જાપાને મ્યાનમાર (બ્રહ્મદેશ) પર આક્રમણ કર્યું ત્યારે તેમણે અસાધારણશૌર્યનો પરિચય કરાવી ઘાયલ થવાનું પસંદ કર્યું. આ સમયે અંગ્રેજી સેનાપતિએ તેમના બચવાની આશા છોડી દીધી હતી. તેમનું મરણોત્તર બહુમાન કરવાને બદલે હયાતીમાં જ બહુમાન કરવાની ભાવનાથી પ્રેરાઈને ૧૭મી ડિવિઝનના કમાન્ડર મેજર જનરલ હોવાને યુદ્ધભૂમિ પર પોતાનો મિલિટરીક્રોસ માણેકશાના પોશાક પર લગાડી દીધો અને લશ્કરી ઐતિહાસિકની એક અન્ય ઘટનાને આકાર લીધો. ૨૨ ફેબુઆરી ૧૯૪૨ના રોજ યુદ્ધભૂમિ પર મિલિટરી ક્રોસ મેળવવાનું વિરલ તેમણે પ્રાપ્ત થયું હતું.
માણેકશા વતનમાં પાછા આવ્યા ત્યારે અહી ઐતિહાસિક પરિવર્તન થઇ રહ્યું હતું. દેશમાં ભાગલાના અને અંગ્રેજોની વિદાયના ભણકારા વાગી રહ્યા હતા. ભારત સ્વતંત્ર થતાં જ પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું. તેનો જવાન આપવા માટે ફરી એક વખત માણેકશાને તક મળી. તેમને ઈ.સ. ૧૯૬૨માં ચીની આક્રમણ વેળા નેફા મોરચે નોંધપાત્ર કામગીરી બાદ વિવાદ ઉભો થયો.

📕 સંરક્ષણપ્રધાન કૃષ્ણમેનન દ્વારા ત્રણ સભ્યોનું તપાસપંચ તેમની સામે નીમવામાં આવ્યું. અલબત્ત પંચે તેમણે નિર્દોષ ઠેરવ્યા અને ઘટના બાદ તેમનો અસાધારણ હિંમત, યુદ્ધનિપુણતા અને વ્યવ્સ્થાશાક્તિની કદર રૂપે તેમણે લેફ્ટનન્ટ જનરલનો હોદ્દો એનાયત થયો. ત્યારપછી તેઓ ઈ.સ. ૧૯૬૪માં જનરલ ઓફિસર કમાન્ડીંગ તરીકે લશ્કરના પશ્ચિમવિભાગના અને ઈ.સ. ૧૯૬૫માં લશ્કરમાં પૂર્વ વિભાગના વડા બન્યા.ઈ.સ. ૧૯૬૯ સુધીમાં તેઓ સેનાધિપતિ બન્યાં.

📕 આ સૌમાં તેમની ઈ.સ. ૧૯૭૧ની શિરમોર કારકિર્દી ભારે યશસ્વી નીવડી બાંલાદેશના સર્જન પૂર્વ ડીસેમ્બર ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાનની લશ્કર સાથે ૧૨ દિવસનું યુદ્ધ ખેલીને તેમણે ભારતને વિજયી બનાવ્યું. ગુજરાતી ઉપરાંત પંજાબી,પુશ્તો,ગોર્ખાલી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓ ઉપર એમને અચ્છો કાબૂ હતો. 

🏆 સન્માન:- તેમને ઈ.સ.  ૧૯૬૭માં’ પદ્મભૂષણ‘ નો ખિતાબ, ઈ.સ. ૧૯૭૨માં ‘પદ્મભૂષણ’નો અને ઈ.સ. ૧૯૭૦માં અમેરિકન એવોર્ડ એ ઈ.સ. ૧૯૭૯માં ‘શક્તીપદ ઓવ નેપાળ’ એવોર્ડ મળ્યો હતો.

📕 અવસાન:-  ૧૯૭૩ માં સેના પ્રમુખના પદથી સેવાનિવૃત્ત થયા બાદ તેઓ વેલિંગટનમાં વસી ગયા હતાં. વૃદ્ધાવસ્થામાં તેમને ફેફસા સંબંધી બિમારી થઈ ગઈ હતી અને તેઓ કોમામાં ચાલ્યાં ગયા હતા. તેમનું મૃત્યુ વેલિંગટનના સૈન્ય રુગ્ણાલયના આઈસીયૂમાં રાત્રે ૧૨.૩૦ વાગ્યે થઈ. તેમનું અવસાન તા. ૨૭/૬/૨૦૦૮નારોજ થયું હતું.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

ચિત્ર પરિચય - અક્ષરધામ, ગાંધીનગર

🎪 અક્ષરધામ, ગાંધીનગર 🎪
🎪 અક્ષરધામ એ ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરના સેકટર ૨૦ માં આવેલું છે. તેની ઊંચાઈ ૧૦૮ ફૂટ, લંબાઈ ૨૪૦ ફૂટ, પહોળાઈ ૧૩૧ ફૂટ છે. અક્ષરધામ મંદિર ગાંધીનગરનું મોટામાં મોટું સહજાનંદ સ્વામીનું મંદિર છે. તેમાં મંદિરમાં દર્શન ઉપરાંત જોવાલાયક આકર્ષણોમાં સત્ ચિત્ આનંદ વોટર શો, સહજાનંદ વન બાગ (૬,૪૫,૬૦૦ સ્ક્વેર ફૂટ), આર્ષ રિસર્ચ સેન્ટર આવેલ છે. 

🎪 અક્ષરધામ ગુજરાતનું સૌથી પ્રસિધ્ધ અને વિશાળ મંદિર છે. ગાંધીનગરમાં આવેલ આ મંદિરની સ્થાપના 2જી નવેમ્બર 1992ના રોજ કરવામાં આવી હતી અને આનું બાંધકામ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. ગાંધીનગરની 23 એકર જમીનમાં બંધાયેલ આ મંદિરમાં ગુલાબી પથ્થરનો ઉપયોગ થયેલ છે અને તે 108 ફુટ ઉંચુ બાંધવામાં આવેલ છે. તેનું બાંધકામ કરવા માટે 6000 ટન પથ્થરનો ઉપયોગ થયેલ છે. આ મંદિર સંપુર્ણ વાસ્તુશાસ્ત્ર મુજબ બાંધવામાં આવેલ છે અને તેની અંદર લોખંડનો ઉપયોગ ક્યાંય પણ કરવામાં આવેલ નથી. 

🎪 આનું નિર્માણ 97 શિલ્પકૃતિ થાંભલાઓ, એક જ પથ્થરમાંથી બનેલ 210 મોભ, 57 જાળીદાર બારીઓ, આઠ ઝરૂખાઓ વગેરેથી થયેલ છે. મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણની 1.2 ટનની સોનાથી મઢેલી મૂર્તિ છે. આ મૂર્તિ 7 ફૂટ ઉંચી છે. તેમની ડાબી બાજુમાં ગોપાલનંદ સ્વામી અને જમણી બાજુએ ગુણીતાનંદની પ્રતિમાઓ છે જે તેમના અનુયાયીઓ હતાં.

🎪 અક્ષરધામ’ સાંસ્‍કૃતિક સંકુલમાં આધુનિક અને પરંપરાગત મૂલ્‍યોનો સમન્‍વય જોવા મળે છે. આપણા ધાર્મિકગ્રંથો રામાયણ - મહાભારતના પ્રસંગો જેવા કે સીતાહરણ, શ્રવણના માતુ-પિતૃ ભક્તિ, હસ્‍તિનાપુરના મહેલમાં પાંડવોની ચોપાટની રમતમાં કૌરવો સાથેની પાંડવોની હાર વગેરે પ્રસંગોની રજુઆત જીવંત અને વાસ્‍તવિકતાની પ્રતિતી કરાવે છે. ઉપરાંત પંપાસરોવર ખાતે શ્રીરામની વાટ જોતી ભીલ નારી શબરી તથા કોરવોની સભામાં દ્રૌપદીના ચિરહરણના પ્રસંગો મુલાકાતીઓના હ્યદયને સ્‍પર્શી જાય છે.

🎪 ધાર્મિક માહાત્મ્ય:- બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (બીએપીએસ) દ્વારા ગાંધીનગરમાં બનાવાયેલું અક્ષરધામ મંદિર 23 એકરમાં પથરાયેલું છે. 1970માં યોગીજી મહારાજે આ જગ્યાએ પ્રાર્થના કરીને કહ્યું હતું કે અહીં ભવ્ય મંદિરનું નિર્માણ થશે.

🎪 માણસને માણસ બનાવવાના ઉદ્દેશ્યથી અને બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના પ્રમુખ સ્વામીની પ્રેરણાથી ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજથી 25 વર્ષ પહેલાં અક્ષરધામનો ઉદ્દભવ થયો. પુરાણોનાં પાત્રો, ઘટનાઓ અને વાતાવરણને ફરી એક વાર ઉજાગર કરવા અને વિશ્વને હિન્દુ સંસ્કૃતિની ઝલક આપવા માટે આધુનિક યુગમાં પુરાણને પ્રસ્તુત કરવાનો આ મંદિરમાં પ્રમુખ સ્વામીએ પ્રયત્ન કરેલો.

🎪 નિર્માણ:- ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 30 ઓક્ટોબર, 1992ના રોજ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકાયું હતું. આ મંદિર પરંપરાગત હિન્દુ સ્થાપત્યનો બેજોડ નમૂનો છે. શિલ્પશાસ્ત્રના નિયમો મુજબ અને લોખંડના ઉપયોગ વગર આ મંદિર બનાવવામાં આવ્યું છે. મંદિર 23 એકરમાં પથરાયેલું છે. મંદિરમાં 97 પિલ્લર છે. 8 સુશોભિત ગવાક્ષ છે.

🎪 264 કલાત્મક શિલ્પ છે. 15 એકરમાં ઉદ્યાન છે. આ મંદિરમાં 1.60 લાખ ઘનફૂટ રાજસ્થાનનો ગુલાબી સેન્ડ સ્ટોન વપરાયો છે. 1979માં પ્રમુખસ્વામી મહારાજના હસ્તે શિલાન્યાસ વિધિ થઈ હતી. દેશમાં સૌથી આધુનિક ક્રેઇનથી પથ્થરોનું વહન કરાયું હતું. પ્રમુખસ્વામી મહારાજે 13 વર્ષની મહેનત બાદ સમગ્ર સંકુલ ઊભું કર્યું હતું. 900 કારીગરોએ આ મંદિર નિર્માણમાં કામ કર્યું છે. આ મંદિરમાં 1.60 લાખ ઘનફૂટ રાજસ્થાનનો ગુલાબી સેન્ડ સ્ટોન વપરાયો છે.

🎪 મંદિરનાં મુખ્ય આકર્ષણો:- મંદિરના ગર્ભગૃહમાં રહેલી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ, ગુણાતિતાનંદ સ્વામી અને ગોપોલાનંદ સ્વામીની મૂર્તિ ધ્યાનાકર્ષક છે. મૂર્તિ પરથી દર્શનાર્થીની નજર હટે જ નહીં તેવું છે. મંદિરમાં રાધે-ક્રિષ્ના, લક્ષ્મીનારાયણ, શિવ-પાર્વતીની મૂર્તિ પણ છે.

🎪 અહીંનો વોટર શો અદભુત છે. જે સાંજે 7.30 વાગ્યે શરૂ થાય છે. વોટર શો પણ સોમવારના રોજ બંધ રહે છે. અક્ષરધામ મંદિરમાં છ હજાર ટન પિંક સ્ટોનમાંથી જાળીઓ કોતરેલી છે. મંદિરની ઊંચાઈ 108 ફૂટ, લંબાઈ 240  ફૂટ અને 131 ફૂટ પહોળું છે. ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 30 ઓક્ટોબર, 1992ના રોજ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકાયું હતું.

🔔 આરતીનો સમય:- 
👉 સવારે: 10.00 વાગ્યે
👉 સાજે: 6.30 વાગ્યે

🙏દર્શનનો સમય:- સવારે:9.30થી સાંજે 7.30 સુધી. દર સોમવારે અક્ષરધામ બંધ રહે છે.

🚍 કેવી રીતે પહોંચવું:- અમદાવાદ એરપોર્ટથી 21 કિમી, અમદાવાદ રેલવે સ્ટેશનથી 32 કિમી છે. ખાનગી વાહનો ઉપરાંત સરકારી બસોની અવરજવર અહીં સતત ચાલુ રહે છે.

🎪 નજીકનાં મંદિરો:- 
1). ઈસ્કોન મંદિર, 27 કિમી
2). જગન્નાથ મંદિર 24 કિમી
3). ઘંટાકર્ણ મહાવીર, મહુડી-41 કિમી.
4). કેમ્પ હનુમાન, 20 કિમી.
5). હરેક્રિષ્ના ભાડજ, 27 કિમી.

🏢રહેવાની સુવિધા છે:-અક્ષરધામ મંદિરમાં રહેવાની વ્યવસ્થા નથી. મંદિર પરિસરમાં સ્વખર્ચે નાસ્તાની, જમવાની સારી એવી વ્યવસ્થા છે.

📃સરનામું:- સ્વામિનારાયણ અક્ષરધામ, સેક્ટર 20, J રોડ, ગાંધીનગર-382020.
 સંચાલન: BAPS (બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાન) દ્વારા સંચાલિત

ફોન નંબર:-  079 23260001, 079 23260002.  


📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.