ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Wednesday, December 26, 2018

ચિત્ર પરિચય - રાણાકુંભા અને કુંભલગઢ, રાજસ્થાન

🌄 રાણાકુંભા અને કુંભલગઢ 🌄
🌄 કુંભલગઢ કિલ્લાની દિવાલ ચીનની દિવાલ પછી દુનિયાની સૌથી મોટી દિવાલ છે...જેની લંબાઇ આશરે ૩૬ કિમિ. જેટલી છે...કિલ્લાઓ અને મહેલોની ભૂમિ તરીકે ઓળખાતા, ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યના રાજસમંદ જિલ્લામાં કુંભલગઢ આવેલ છે.

🌄 આ સ્થળ ઉદયપૂરની ઉત્તર-પશ્ચિમે આશરે ૮૦ કિ.મી. અંતરે આવેલ છે. સમુદ્રસપાટીથી આશરે ૧૧૦૦ મીટરની ઉંચાઈએ આ કિલ્લો આવેલો છે. મેવાડના રાજા રાણા કુંભાએ આ ગઢનુ બાંધકામ ઇ.સ. ૧૪૪૩ માં શરૂ કરી અને ઇ.સ.૧૪૫૮ માં પૂર્ણ કર્યું હતું.આ કિલ્લાની બાંધણી મેવાડી શૈલીની છે. અરવલ્લી પર્વતમાળાની ટોચે વ્યુહાત્મક જગ્યાએ આવેલો કુંભલગઢ નો દુર્ગ માઇલો દૂરથી દેખાય છે. આકિલ્લાની આસપાસ (ચોપાસ) બાંધવામાં આવેલી દિવાલની લંબાઇ ૩૬ કિ.મી. જેટલી થાય છે. આ દિવાલની પહોળાઇ આશરે ૧૫ ફૂટ થાય છે. કુંભલગઢની અંદર જ એક બીજો કિલ્લો છે, જે કટારગઢ ના નામથી ઓળખાય છે. જ્યાં મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો એમ ઘણા ઇતિહાસકારોનુ મંતવ્ય છે. આ કિલ્લાની અંદર બાદલમહેલ, કુંભમહેલ ,આશરે ૩૬૦ જેટલા મંદિરો (જેમાં ૩૦૦ જેટલા જૈનમંદિરો છે), બાગબગીચા અને પાણીપૂરવઠા ની વ્યવસ્થા છે. રાજસ્થાન રાજ્યના રાજસ્થાન પ્રવાસન વિભાગ તરફથી ધ્વનિ અને પ્રકાશ કાર્યક્રમ (લાઇટ એન્ડ સાઉન્ડ શૉ) તૈયાર કરવામાં આવ્યોછે જેનો પ્રવાસીઓ લાભ લઈ શકે છે.

🌄 પરાક્રમી રાણા કુંભાએ આ ઇ.સ.૧૪૪૩માં દિવાલ અને કિલ્લો બનાવ્યા હતા..આ દિવાલને ભેદવામાં અકબર જેવો મુસ્લિમ આક્રમણખોર પણ નિષ્ફળ નિવડ્યો હતો. આ દિવાલના બાંધકામ પાછળ એક વાયકા એવી છે જેમ જેમ દિવાલ બનતી હતી એમ રસ્તો આગળ વધતો જતો...જેનાં કારણે દિવાલની લંબાઇ વધતી જતી હતી.આ દિવાલ બનાવનારા કારીગરોનાં કહેવાં મુજબ અહીં કોઇ દેવીનો વાસ હોવો જોઇએ.જેથી રાણાકુંભાએ એક સંતને બોલાવ્યા,સંતનાં કહેવાં મૂજબ આ દેવીને કોઇ માનવબલી ચડશે તો જ આ સમસ્યાનો અંત આવશે.આ સાંભળીને રાણાકુંભાને વિચારવાં લાગ્યો કે કોની બલિ આપવી.રાણાની મુંજવણ જોઇને સંતે ખુદ બલિ માટે તૈયાર થયા...સંતે કહ્યુ કે મને આ પહાડી ઉપર ચાલવાની મંજુરી આપો અને સંત ચાલવાં લાગ્યા..ચાલતાં ચાલતાં સંત જ્યા રોકાયા ત્યારે સંતનાં કહેવાં મૂજબ જ્યાં એ રોકાય ત્યાં એનો બલિ આપવામાં આવે અને ત્યાં દેવીનું મંદિર બનાવવામાં આવે...રાણાએ એ જગ્યાએ સંતનો બલિ ચડાવ્યો.

🌄 જ્યાં સંતનું ધડ પડ્યું ત્યાં આ કિલ્લાનું મુખ્ય દ્રાર બનાવવામાં આવ્યુ. અરવલ્લીનાં પહાડ પર સમુદ્ર તટથી ૧૯૧૪ મિટર ઉંચાઇ પર બાંધવામાં આવેલો આ કિલ્લો અને દિવાલ પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે. અજેય યોધ્ધા કહેવાતા રાણાકુંભાનું શાસન ઇ.સ.૧૪૩૩થી ઇ.સ.૧૪૬૮ સુધી ચાલ્યુ હતુ. રાણાકુંભાનાં શાસન દરમિયાન સારંગપુર, નાગોર, નરાણા, અજમેર, મંડોર, મોડાલગઢ, બુંદી, ખાટુ જેવા કિલ્લાઓ જીત્યા હતા એ ઉપંરાંત એને દિલ્હીનાં સુલતાન સૈયદ મહમદશાહ અને ગુજરાતના સુલતાન અહમદશાહને પણ ધુળ ચાટતાં કર્યાં હતાં. એમનાં શાસન દરમિયાન એક પણ મુસ્લિમ આક્રમણખોર રાણાનો વાળ વાંકો કરી શક્યો નહોતો.                                         

🌄 તમે રાજસ્થાન જાઓ ત્યારે ચિતોડગઢ, કુંભલગઢ અને અચલગઢ જેવાં ઉંચા પહાડી પર કિલ્લાઓ જુઓ ત્યારે એમ થાય કે આને બનાવવામાં કેટલા માણસો અને કેવી મહેનત કરવી પડી હશે. રાણાએ પાંત્રીસ વર્ષની ઉમરમાં આવાં ૩૨ કિલ્લાઓ બનાવ્યા છે જે આજે પણ ભારતિય ઇતિહાસની ધરોહર ગણાય છે. મેવાડમાં જે ૮૪ દુર્ગ છે એમાથી ૩૨ દુર્ગ રાણાકુંભાએ બનાવેલા છે.

🌄 પડછંડ રાણા માત્ર લડાયક યોધ્ધો જ ના હતો એ એક સંગીત વિશારદ અને સાહિત્યકાર પણ હતો.સંગીતમાં જેને કિર્તીસ્તંભ માનવામાં આવે છે એવી "સંગીતરાજ" નામની સાહિત્ય રચનાં રાણાકુંભાની છે,આ ઉપંરાત એને એકલિંગજી મહાદેવ મંદિરનો જીર્ણોધાર કરાવ્યો. વસંતપુરને ફરીથી વસાવ્યુ.અનેક સંગીતનાં ગ્રંથોની રચનાં કરી હતી.ચંડીશતક અને ગીતગોવિંદની એને વ્યાખ્યા કરી હતી.

🌄 જે રાણાકુંભાને કોઇ ન હરાવી શક્યુ.ઘણા લોકોને ખબર નથી કે રાણાકુંભાને  મારી નાખનાર અન્ય કોઇ નહી પણ એનો ખુદનો પુત્ર ઉદયસિંહનાં હાથે થઇ હતી. આવા મહાન અને અજેય યોધ્ધા જે મુસ્લિમ આક્રમણખોરોનાં યુગમાં અજેય રહ્યા હોય એવા રાજાઓનાં ઇતિહાસને બદલે જેને હરાવી ન શકનાર અકબર જેવાં મુસ્લિમ આક્રમણખોરોનાં ઇતિહાસ ભણાવવામાં આવે છે..

🌄 કુંભલગઢથી ચાલીસ કિમિં દુર રાણકપૂર ગામમાં પ્રખ્યાત જૈન મંદિર આવેલ છે,જે એનાં સ્થાપત્યને કારણે પ્રખ્યાત છે. આ મંદિર ઇ.સ.૧૪૪૬  રાણાકુંભા,આચાર્ય શ્યામસુંદરજી,ધરન શાહ અને દેપાએ બંધાવ્યુ હતુ અને આ બેનમુન બાંધકામને પૂર્ણ થતાં લગભગ પચાસ વર્ષ જેટલો સમય લાગ્યો હતો...જેનાં એક એક સ્તંભ પર કોતરણી ખજુરાહોનાં શીલ્પની યાદને તાદશ કરે છે.

🌄 કહેવાય છે કે ધરન શાહને "નલિની ગુલ્મા" વિમાનનાં દર્શન થયા હતાં અને આ સપનાને કારણે ધરન શાહને આ મંદિર બનાવવાનો વિચાર આવ્યો અને રાણાકુંભાએ એને જમીન આપી હતી.આ મંદિરની ખાસ વાસ્તું વિશેષતાં એ છે કે આ મંદિરમાં ૧૪૪૪ સ્તંભ છે છતાં પણ એક પણ સ્તંભ મુખ્ય ગર્ભદ્રારનાં દર્શનાં આડસ બનતાં નથી.વાસ્તુશાસ્ત્ર અને શિલ્પની ભવ્યતાં આ મંદિરની બેનમુન કહી શકાય એવી છે.

🌄 આ મંદિરની સાથે એવી માન્યતાં જોડાયેલી છે જેનાં દર્શન કરવાથી ૮૪યોનીમાથી મુકિત પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે.જેનાં કારને અહીંયાં લાખોની સંખ્યામાં જૈન શ્રધ્ધાળું આવે છે અને શિલ્પકલાની બેનમુન કારીગીરીને જોવા હજારો લોકો અહીંયા આવે છે. આ મંદિર માટે જ્યારે રાણાકુંભાએ જમીન આપી ત્યારે ત્યાં ગામ વસાવવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો ત્યારે મદગી નામનો એક નાનો કસબો હતો જે પછીથી ગામ વસતાં રાણાનાં નામ ઉપર રણપૂર નામ આપવામાં આવ્યુ હતું જે પાછળથી રાણકપુર તરીકે પ્રખ્યાત થઇ ગયું

🌄 આવી અસંખ્ય ઐતહાસિક ધરોહર પૂરા ભારતવર્ષમાં ફેલાયેલી છે જે આપણાં પૂર્વજોની જાહોજલાલી અને કલા પારખુની સાબિતિ આપે છે. કુંભલગઢમાં રાણાકુંભાનાં નામે પહાડોથી ઘેરાયેલ એક જંગલ છે. જેમાં દોઢ મહિના પહેલા જ એક નવો રૂટ બનાવ્યો છે. જે અસંખ્ય ચડાવ અને ઉતારથી ભરેલો પહાડૉ કોતરીને બનાવ્યો છે. જે રસ્તાં પર જિપ્સી અથવાં ફોર વ્હિલ ડ્રાઇવ વાહન સિવાઇ અન્ય વાહન ચાલી શકે નહી. આ તેર કિમિનો અત્યંત વિકટ અને ચડાવ ઉતાર વાળો માર્ગ પૂરો કરવાં માટે બે કલાક જેટલો સમય લાગે ઉડીં ખાઇઓની ધાર પર જિપ્સી પર બેસીને પસાર થતા હોય ત્યારે કાચાપોચા માણસની છાતીનાં પાટીયા બેસી જાય એવો વિકટ માર્ગ છે. સાહસનાં શોખિન લોકોએ આ જિપ્સીમાં જંગલ ફરવાનો ચોક્ક્સ લાભ લેવો જોઇએ...

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.