📘 મદન મોહન માલવીયજી 📙
📗 મહામના પંડિત મદન મોહન માલવીયાનો જન્મ ૨૫મી ડિસેમ્બર ૧૮૬૧ ના દિવસે ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા અલ્હાબાદ શહેરમાં પિતા બ્રિજનાથ અને માતા મૂનાદેવીના ઘરે થયો હતો. તેમનુ મૃત્યુ 84 વર્ષની વયમાં 12 નવેમ્બર 1946ના રોજ બનારસમાં થયુ.
📘 મદન મોહન માલવીય એક શિક્ષક અને સ્વતંત્રતા સેનાની હતા. જેમને તેમના કામો માટે 'મહામના' ની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહામના તરીકે ઓળખાયેલા મદન મોહન માલવીયા આ યુગના આદર્શ પુરુષ હતા. પોતાના જીવન-કાળમાં પત્રકારત્વ, વકીલાત, સમાજ-સુધારણા, માતૃ-ભાષા તથા ભારતમાતાની સેવા કાજે પોતાનું જીવન અર્પણ કરનારા આ મહામાનવે જે વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી એમાં એમની પરિકલ્પના એવા વિદ્યાર્થીઓને શિક્ષિત કરીને દેશ સેવા કાજે તૈયાર કરવાની હતી, જે દેશનું મસ્તક ગૌરવથી ઊંચુ કરાવી શકે. એ જગજાહેર છે કે મહામના માલવીય સત્ય, બ્રહ્મચર્ય, વ્યાયામ, દેશભક્તિ તથા આત્મ-ત્યાગમાં આ દેશમાં અદ્વિતીય સ્થાન રાખતા હતા. ઉપર્યુક્ત સમસ્ત આચરણ પર મહામના સદૈવ ઉપદેશ જ ન આપતા, પરંતુ એનું સર્વથા પાલન પણ કરતા હતા. પોતાના વ્યવહારમાં મહામના સદૈવ મૃદુભાષી રહ્યા હતા.
📙 તેઓ 1909 અને 1918માં ઈંડિયન નેશનલ કોંગ્રેસના પ્રેસિડેંટ રહ્યા. 1916માં માલવીયજીએ જ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલાયની સ્થાપના કરી હતી અને 1919થી લઈને 1938 સુધી તેના વાઈસ ચાંસલર પણ રહ્યા. માલવીયજીએ પહેલીવાર 1886માં રાજનીતિમાં પગલુ મુક્યુ હતુ. જ્યારે તેમણે દાદાભાઈના નેતૃત્વમાં કલકત્તામાં થઈ રહેલ બીજા ઈંડિયન નેશનલ કોંગ્રેસ સંમેલનમાં ભાગ લીધો હતો.
🏆 પંડિત મદનમોહન માલવીયજીનું ધર્મસ્વાભિમાન:-
👉 કાશી-હિન્દુ વિશ્ર્વવિદ્યાલયના સંસ્થાપક પંડિત મદનમોહન માલવીયજી સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિના અનન્ય પૂજારી હતા. તેઓના કાર્યોથી પ્રભાવિત થઈ એક વખત કલકત્તા વિશ્ર્વવિદ્યાલયના ઉપકુલપતિએ પ્રસ્તાવ મોકાયો કે, ‘વિદ્યાલય તમને ડૉક્ટરેટની પદવીથી સન્માનિત કરવા માંગે છે’ મિત્રોએ કહ્યું, પ્રસ્તાવ મોકલ્યો. પ્રસ્તાવ વાંચી પંડિતજીના મિત્રવર્તુળમાં ખુશી છવાઈ ગઈ. ‘આ તો માત્ર તમારું જ નહીં, વારાણસી અને તેની જનતાનું પણ ગૌરવ ગણાય, તમારે આ પ્રસ્તાવ તત્કાળ સ્વીકારી લેવો જોઈએ.’ ત્યારે પંડિતજીએ કહ્યું, ‘આ પ્રસ્તાવ મારું, વારાણસીનું કે તેની જનતાનું સન્માન નહીં, અપમાન છે.’ તેઓએ કલકત્તા વિદ્યાલયને તત્કાળ વળતો પત્ર લખ્યો કે, ‘માનનીય મહોદય, તમારા પ્રસ્તાવ માટે ખૂબ ખૂબ આભાર, પરંતુ તમારો પ્રસ્તાવ મારા માટે નિરર્થક છે. હું જન્મે-કર્મે બ્રાહ્મણ છું અને એક બ્રાહ્મણ માટે પંડિતથી મોટી અન્ય કોઈ જ ઉપાધિ ન હોઈ શકે. મને ‘ડૉ. મદનમોહન
માલવીય’ કરતાં "પંડિત મદનમોહન માલવીય તરીકે ઓળખાવાનું જ વધુ પસંદ છે. આશા રાખું છું કે, તમે મુજ બ્રાહ્મણની ભાવનાનું સન્માન કરી મને પંડિત જ ‚‚રહેવા દેશો !
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment