દત્ત બાવનીના સર્જક રંગ અવધુત મહારાજ
📑 રંગ અવધૂત, જન્મે પાંડુરંગ વિઠ્ઠલપંત વાલામે, (૨૧ નવેમ્બર ૧૮૯૮-૧૯ નવેમ્બર ૧૯૬૮) હિંદુ ધર્મના દત્ત પંથ (દત્તાત્રેયની ગુરૂચરિત્ર પરંપરા)ના સંત કવિ હતા. તેમને ગુજરાતમાં દત્ત પંથના વિસ્તરણનો શ્રેય આપવામાં આવે છે.
જીવન
📑 રંગ અવધૂતનો જન્મ ૨૧ નવેમ્બર ૧૮૯૮ ને કારતક સુદ નોમના રોજ ગોધરા ખાતે મરાઠી દંપત્તિ વિઠ્ઠલપંત અને કાશીબેનને ત્યાં થયો હતો. તેઓ બાળપણથી જ ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા. તેમણે મેટ્રિક પછી અસહકારની ચળવળમાં ભાગ લેવા માટે અભ્યાસ છોડી દીધો હતો. થોડો સમય તેમણે શિક્ષક તરીકે સેવા આપી અને તેઓ સામાજીક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય હતા. ૧૯૨૩માં તેમણે નોકરી છોડી દીધી અને સંન્યાસી જીવન સ્વીકાર્યું. તેઓ નર્મદા નદીના કાંઠે નારેશ્વર ખાતે સ્થાયી થયા. વાસુદેવાનંદ સરસ્વતી તેમના આધ્યાત્મિક ગુરૂ હતા. ૧૯ નવેમ્બર ૧૯૬૮ (કારતક વદ અમાસ)ના રોજ હરદ્વારમાં ગંગા તટે તેમનું અવસાન થયું હતું. તેમનો મૃતદેહ નારેશ્વર લાવવામાં આવ્યો હતો અને બે દિવસ બાદ ૨૧ નવેમ્બરના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમના અનુયાયીઓ તેમની પૂજા દત્તાત્રેયના અવતાર તરીકે કરે છે. ગુજરાતમાં દત્તાત્રેયના દત્ત પંથનો ફેલાવો કરવામાં તેમણે મહત્વનો ફાળો આપ્યો હતો. તેમનો આશ્રમ નારેશ્વર ખાતે આવેલો છે.
સર્જન
📑 તેમણે ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતમાં મોટે ભાગે આધ્યાત્મિકતા અને દત્તાત્રેય ભક્તિ પર સર્જન કર્યું હતું. તેમણે દત્ત બાવનીનું સર્જન કર્યું હતું, જે ૫૨ (બાવન) કડી ધરાવતી દત્તાત્રેયની કવિતા છે અને ગુજરાતમાં લોકપ્રિય છે. તેમણે અવધૂતી આનંદમાં ભજનોનો સંગ્રહ રચ્યો હતો. તેમનાં અન્ય સર્જનોમાં શ્રી ગુરુ લીલામૃત, રંગતરંગ, રંગહૃદયમ, શ્રી ગુરૂમૂર્તિ ચરિત્ર, પત્ર મંજુશા, દત્ત નમસ્મરણ, વગેરેનો સમાવેશ થાય છે.
📑 દત્ત ભકિતનો નાદ ગૂંજતો કરનાર અને "પરસ્પર દેવો ભવ"નું સૂત્ર આપનાર શ્રી રંગ અવધૂત મહારાજનો જન્મ ઇસ ૧૮૯૮માં કારતક સુદ ૯ને ૨૧મી નવેમ્બરે ગોધરા ખાતે થયો હતો. બાળપણનું નામ પાંડુરંગ વળામે હતું. નાનપણમાં તેજસ્વી પાંડુરંગને ફી ભરવા, ઇશ્વરી મદદ મળતાં તેઓ ભકિત તરફ ખેંચાયા.
📑 ગાંધીજીનાં આદેશથી સત્યાગ્રહની લડતમાં પણ જોડાયા. તેઓ નારેશ્વર આવીને રહ્યા. દત્ત પુરાણની ૧૦૮ પારાયણો કર્યાં બાદ "શ્રીરંગ અવધૂત" તરીકે ઓળખાયા. તેમણે સંસ્કૃત, ગુજરાતી અને મરાઠીમાં અનેક ગ્રંથો રચ્યા છે. તેમની ગુજરાતી "દત્ત બાવની"આજે પણ લોકપ્રિય છે.
📑 ૧૯મી નવેમ્બર ૧૯૬૮માં તેમણે હરિદ્વારમાં સમાધિ લીધી.આજે નારેશ્વર તીર્થસ્થાન રંગ અવધૂતજી અને દત્તાત્રેય ભગવાનની ઉપાસના માટે જાણીતું છે. તીર્થસ્થાનમાં શાંતિ અને સ્વસ્છતા જોવા મળે છે. હજારો યાત્રિકોની ધમધમતું આ ધામ યોગ ધ્યાન અને તપ માટે જ હોય તેમ આગંતુક યાત્રિકો વર્તતા હોય છે.
📑 રંગ અવધૂત મહારાજના મંદિરના ભક્તો દ્વારા સેવા કરવામાં આવે છે. સવારે છ વાગ્યાથી પ્રાર્થનાધૂન શરૂ થાય છે. રાત્રે પણ ધૂન અને સત્સંગ થાય છે. તેમાં મોટાભાગના બધા જ યાત્રિકો ખૂબ જ શ્રદ્ધાથી ભાગ લે છે.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment