ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Wednesday, November 21, 2018

ચિત્ર પરિચય - જલારામ મંદિર, વીરપુર

જલારામ મંદિર, વીરપુર
🎪 વિક્રમ સંવત 1856 (ઈ.સ 1799) કારતક સુદ સાતમનાં રોજ પ્રધાન ઠક્કર અને રાજબાઇનાં ઘરે જલાનો જન્મ થયો.
ધાર્મિક માહાત્મ્ય:- 
            સંતભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં રૂડું વીરપુર ગામ. બાપા જલારામ બિરાજતા અને રમતા સીતારામ જેના નામની અત્યારે ગામડે ગામડે અને શહેરે શહેરે બલિહારી ચાલે છે, જગત જેના નામના જાપ કરે છે એવા સમરક સંત જેનું નામ લઇએ તો મસ્તક ઝૂકી જાય. વીરપુરના જલારામ બાપાનું મંદિર આખા જગતમાં તથા દેશ-વિદેશમાં પણ પ્રસિદ્ધ છે.
          સાધુવેશે જલારામ બાપાની કસોટી કરનાર ભગવાને પ્રસાદી રૂપે આપેલા ઝોળી અને ધોકો છે. કહેવાય છે કે આ ઝોળીમાં જલારામ બાપાએ રોટલાને સીવીને રાખ્યો છે. જેથી ક્યારેય સદાવ્રતમાં તથા ગામ વીરપુરમાં અન્નની ખોટ ઊભી ન થાય અને ઝોળી અને ધોકો હાલ વીરપુરના જલારામ બાપાના મંદિરમાં હજુ પણ હયાત છે.
         ઇશ્વરે જલારામ બાપાની કસોટી કરી. તેઓ સાધુવેશ ધારણ કરી સદાવ્રત ચાલતું હતું ત્યાં પહોંચ્યા અને વીરબાઇમાની માગણી કરી હતી અને જલારામ બાપાએ તો વીરબાઇમાને પણ દાનમાં આપી દીધા હતા. એક દુ:ખદ પળે જલારામ બાપાને સદાવ્રત ખોલવાનો વિચાર આવ્યો.
          વિક્રમ સંવત 1856 (ઈ.સ 1799) કારતક સુદ સાતમનાં રોજ પ્રધાન ઠક્કર અને રાજબાઇનાં ઘરે જલાનો જન્મ થયો. જલો ધીમે ધીમે મોટો થતો ગયો અને ફતેહપુરનાં ભોજા ભગતને ગુરૂ બનાવ્યા. ગુરૂ-શિષ્ય બન્ને ભગવાન રામમાં લીન રહેતા. ત્યાર બાદ તો વિરબાઇ મા સાથે લગ્ન કર્યા અને તેને પણ દુઃખિયા અને ભૂખ્યાની સેવામાં લગાવી દીધા. સંવત 1937 મહા વદ દસમે બુધવારે (23/2/1881) બાપાએ 81 વર્ષે વૈકુંઠવાસ કર્યો.
       બાપાને સંતાનમાં એક દીકરી જમનાબાઈ હતી. જમનાબાઈના દીકરાના દીકરા હરિરામને બાપાએ પોતાના વારસ નીમ્યા હતા. જલારામ બાપાની પાછળ હરિરામે મોટો મેળો કરેલો, મેળામાં એક અજાણ્યો સાધુ આવી ચડ્યો. બધાને નમસ્કાર કરતો કરતો એ ભંડારઘરમાં ગયો.
         ત્યાંથી એક લાડુ લઈ તેનો ભૂકો કરી તેણે ચારે દિશાએ વેર્યોને ‘અખૂટ! અખૂટ ભંડાર!’ બોલતો એ ક્યાં ચાલી ગયો તેની કોઈને ખબર પડી નહીં. આજે બાપાનો ભંડાર અખૂટ છે. 1999માં મંદિરમાં એકપણ રૂપિયો દાનમાં ન લેવાનો નિર્ણય કરાયો છે.
              બાપાને સંતાનમાં એક દીકરી જમનાબાઈ હતી. જમનાબાઈના દીકરાના દીકરા હરિરામને બાપાએ પોતાના વારસ નીમ્યા હતા.

🎪 નિર્માણ:- 
              1799થી 1881 સુધી જલારામ બાપાએ અહીં જ નિવાસ કર્યો હતો. ત્યાર બાદ તેમનું  નિવાસ સ્થાન મંદિર તરીકે પૂજાવા લાગ્યું. 

🎪 મંદિરનાં મુખ્ય આકર્ષણો:- 
            મંદિરમાં બાપાને ધ્રાંગધ્રાના રાજાએ અનાજ દળવા આપેલી બળદ ચક્કી છે. આ સિવાય સાધુ વેશે બાપાની પરીક્ષા કરવા આવેલા મહાત્માએ બાપાના પત્ની વીરબાઈ માને પ્રસાદી રૂપે આપેલા ઝોળી અને ધોકો છે. 

🕐  આરતીનો સમય :-
🔔 સવારે: 6.30 વાગ્યે 
🔔 સાંજે: 7.00 વાગ્યે

👏 દર્શનનો સમય:- સવારે 6.30 વાગ્યાથી રાતના 9.30 વાગ્યા સુધી

🏢 મંદિર દ્વારા સંચાલિત અતિથિગૃહમાં રહેવાની ઉત્તમ સુવિધાઓ છે.

🚌 કેવી રીતે પહોંચવું:- 
              વીરપુર ગામ નેશનલ હાઈવે 8 પર વસેલું છે. અમદાવાદથી 250 કિમી, રાજકોટથી 54 કિમી, જૂનાગઢથી 45 કિમી દૂર છે. વીરપુર રોડ ટચ આવેલું હોવાથી અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી દરેક બસ વીરપુર વાયા થઈને જાય છે. જેથી દરેક શ્રદ્ધાળુંને જવામાં સરળતા રહે છે.
વીરપુરમાં રેલવે સ્ટેશ પણ છે.

✈ નજીકનું એરપોર્ટ:- રાજકોટ

🎪 નજીકનાં મંદિરો:-
1). ખોડલધામ મંદિર(કાગવડ)-  6 કિમી.
2). સ્વામિનારાયણ મંદિર ગોંડલ-  19 કિમી
3). ભૂવનેશ્વરી મંદિર 19 કિમી.

                   1799થી 1881 સુધી જલારામ બાપાએ અહીં જ નિવાસ કર્યો હતો. ત્યાર બાદ તેમનું નિવાસ સ્થાન મંદિર તરીકે પૂજાવા લાગ્યું. રહેવાની સુવિધા છે. મંદિર દ્વારા સંચાલિત અતિથિગૃહથી લઈ ખાનગી હોટલ્સમાં રહેવાની ઉત્તમ સુવિધાઓ છે. આ ઉપરાંત મંદિર પરિસરમાં જ ભોજનશાળા છે. જેમાં બપોરે અને રાત્રે ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે. ખાનગી ગેસ્ટહાઉસમાં 500 રૂપિયાથી 3000 સુધી રૂમ મળી શકે. જેમાં એસી અને નોન એસીના અલગ-અલગ ચાર્જ હોય છે. 

📃 બુકિંગ કેવી રીતે:- 
              અતિથિગૃહમાં ઓનલાઈન બુકિંગ નથી પણ વહેલા તે પહેલાંના ધોરણે રૂમ મળી રહે છે. 

🎪 સંચાલન:- જલારામ બાપાના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું છે.

📝 સરનામું:- મું. વીરપુર(જલારામ), તા. જેતપુર, જિ.રાજકોટ.

☎ ફોન નંબર:- જલારામા અતિથિ ગૃહ- 02823 281530, 02823 281430

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.