ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Friday, November 23, 2018

ચિત્ર પરિચય - સુવર્ણમંદિર, અમૃતસર

અમૃતસર – સુવર્ણમંદિર
🎪 અમૃતસર એ ભારતના પંજાબ રાજ્યનું એક શહેર છે. જ્યાં શીખોનું સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર સુવર્ણ મંદિર આવેલું છે. અમૃતસરને ‘સીફતી દા ઘર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરમાં ચારે દિશાઓમાં દરવાજાઓ આવેલા છે. જે દર્શાવે છે કે તમામ દિશાઓમાંથી આવતા વિવિધ ધર્મના લોકો અહીં શાંતિ, પ્રાર્થના કે ધ્યાન વગેરે માટે આવી શકે છે. શીખોના ચોથા ગુરૂ ‘ગુરૂ રામ દાસ’ ૧૫૭૭માં આ સરોવર ખોદાવડાવ્યું, ત્યારબાદ તે અમૃતસર તરીકે ઓળખાવા લાગ્યું. મંદિરની પરિસરમાં ત્રણ પવિત્ર ઝાડ છે, જે સાથે કોઈક ઐતિહાસિક ઘટના કે ગુરુઓ જોડાયેલા છે. અહીં આવનાર પ્રવાસીઓને મંદિર તરફ સન્માનના ચિહ્ન રૂપે માથું ઢાંકીને રાખવું પડે છે. તેમજ જૂતા, ચંપલ, મોઝાં ઉતારીને ખુલ્લા પગે જ મંદિરમાં પ્રવેશ કરવા મળે છે. પ્રવેશતા પહેલા નાના ઝરણામાં પગ ધોઈને અંદર પ્રવેશવું પડે છે. દિવાળીના દિવસે મંદિરને દિવડાથી સુશોભિત કરવામાં આવે છે. અને ત્યાં ફટાકડાની આતશબાજી પણ કરાય છે. 
🎪 શીખો પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન એક વખત તો આ મંદિરની યાત્રા અવશ્ય કરે છે.

🎪 વિશ્વના સૌથી મોટા ભોજનાલય કહેવાતા સુવર્ણમંદિરના આ લંગરની અજાણી વાતો..
🎪 પંજાબના અમૃતસર ખાતે આવેલા સુવર્ણમંદિર ખાતે આવેલા લંગર(અન્નક્ષેત્ર) જેવું બીજે ક્યાંય જોવા નહીં મળે. કેમકે અહીં જાતિ, ધર્મ, લિંગ, અને ધર્મથી ઉપર ઉઠીને સર્વધર્મ સમભાવનુંં એક અનોખું દ્રષ્ટાંત જોવા મળે છે.
🎪 સને પંદરમી સદી માં સંતશ્રી ગુરુનાનકજી એ સમાજમાંથી ઉંચનીચ ના ભેદભાવ અને સર્વધર્મ સમભાવના ઉદેશ્યથી આ લંગરની સ્થાપના કરી હતી. અહીં અમીર-ગરીબ, સ્ત્રી-પુરુષ, બાળકો-બુઝુર્ગો બધા ભેગા સૌ સાથે મળી એક સાથે એક સરખુજ ભોજન જમે છે, જે દ્રશ્ય નિહાળવું ખરેખર નયનરમ્ય છે, ત્યાં સાચેજ માનવતાની મેહક જોવા મળે છે.
🎪 મંદિરના પદાધિકારીઓના જણાવ્યા મુજબ અહીં રોજ 60000 થી 75000 હજાર શ્રદ્ધાળુઓ રોજિંદા દર્શનાર્થે આવે છે જે મંદિરનું પવિત્ર ભોજન પણ આરોગે છે. તહેવારમાં આ સંખ્યા દોઢ થી બે લાખને પાર કરી જાય છે. અહીં જમવામાં શાકાહારી ભોજનમાં દાલ, રોટી, રાઈસ, એક સબ્જી, અને મીઠાઈ માં ખીર આપવામાં આવે છે. અહીં પ્રતિદિન 50 કવીંટલ ઘઉંનો લોટ, 18 કવીંટલ દાલ, 14 કવીંટલ ચોખા ,10 કવીંટલ શાકભાજી અને 11 કવીંટલ દૂધનો રોજના ધોરણે ઉપયોગ કરવામાં આવે છે.
🎪 વિશ્વના સૌથી મોટા સામુહિક કિચન પૈકી એક ગુરુ રામદાસજી લંગર ભવન ખરેખર ખુબજ અદભુત છે. આ લંગર ચોવીસ કલાક યાત્રાળુ અને શ્રદ્ધાળુઓ માટે મફત અને પૌષ્ટિક ભોજન પુરુ પાડવા માટે ધમધમતા હોય છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી(SGPC) ના નેજા હેઠળ ચાલતા આ લંગરમાં આઠ જેટલા વિશાળ વિદેશથી આયાત કરાયેલા અત્યાધુનિક રોટી મેકર મશીન લાખો ની સંખ્યા માં રોટલીઓ તૈયાર કરી શકે છે.
🎪 અહીં બધાજ શ્રદ્ધાળુઓને બેસાડીને જ જમવાનું પીરસવામાં આવે છે, મંદિર પ્રસાશનના જણાવ્યા અનુસાર અહીં 3 લાખ જેટલી સ્ટીલની થાળી-વાડકીઓ ઉપલબ્ધ છે અને ગમે એટલી ભીડને પહોંચી વળવા સક્ષમ છે.
🎪 સૌથી અગત્યની વાત અહીં સુવર્ણમંદિર ખાતે એજોવા મળે છે કે અહીં ના સેવાદારો માં માત્ર 20% જ કર્મચારીઓ રોજિંદા પગારથી છે, બાકી અહીંના હજારો શ્રધ્ધાળુઓ જ જાતે એમના ગુરુના સેવાદારો બની જાય છે અને રોજની હજારોની મેદનીને પહોંચી વળે છે જે ખરેખર અદભુત છે, એક વડીલના જણાવ્યા અનુસાર શીખ ધર્મમાં ધર્મનો ત્રીજો સ્થંભ સેવાનો છે માટે અહીં હજારો લોકો સેવા આપી પાવન થાય છે..
🎪 આ ઉપરાંત અહીં આવનાર તમામ લોકોને મોટાભાગે હાથ પકડી ને જમવા માટે આમંત્રણ આપવા માં આવે છે. મોટી મોટી હસ્તીઓ પણ અહીં આવીને સેવા, દાન અને ભોજનનો આનંદ લે છે…

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.