ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Thursday, November 29, 2018

વ્યક્તિ પરિચય - જગદીશચંદ્ર બોઝ

🔭 મહાન વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝ 🔬
📙 ભારત દેશના મહાન વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોઝનો જન્મ 30 મી નવેમ્બર, 1858 ના રોજ મેમનસિંહ (પૂર્વ બંગાળ)માં મામાના ઘરે થયો હતો. તેઓ એ સમયના મહાન ભૌતિકશાસ્ત્રીમાંના એક હતાં. તેમણે ભૌતિક વિજ્ઞાન, જીવવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર તથા પુરાતત્વનું ઉંડું જ્ઞાન હતું. તે દુનિયાના એવા પ્રથમ વૈજ્ઞાનિક હતો કે જેમણે રેડિયો અને સૂક્ષ્મ તરંગો ઉપર કામ કર્યું હતું. તેઓ ભારતના પ્રથમ વૈજ્ઞાનિક હતા કે જેમને અમેરિકી પેટન્ટ મળ્યું હતું. સમગ્ર દુનિયામાં એમને રેડિયો વિજ્ઞાનના પિતા કહેવામાં આવે છે.
📙 આ ઉપરાંત તેઓ એ  કેસ્કોગ્રાફ, રેઝોનન્સ, રેકોર્ડર વગેરે ની શોધ કરી હતી. વનસ્પતિમાં પણ પ્રાણીઓની જેમ સંવેદના હોય છે તે સાબિત કરી આખા જગત ને આશ્ચર્યચકિત કરી દીધું હતું.
📙 જગદીશચંદ્ર બોઝ પોતાના સમયના અગ્રતમ ભૌતિકશાસ્ત્રીમાંના એક હતાં. તેઓ કોલકાતા શહેરમાં આવેલી પ્રેસિડેન્સી યુનિવર્સીટી ખાતે ભૌતિકશાસ્ત્રી હતાં. માઇક્રોવેવનો અભ્યાસ કરનાર તેઓ પ્રથમ વૈજ્ઞાનિક હતાં. કેસ્કોગ્રાફ, રેઝોનન્સ, રેકોર્ડર વગેરે ની શોધ કરી વનસ્પતિમાં માનવીની માફક સંવેદના હોય છે તે સાબિત કરી આખા જગત ને આંજી નાખ્યું.
📙 જગદીશચંદ્ર બોઝને બાળપણથી જ વનસ્પતિ અને પ્રાણીના જીવનમાં રસ હતો. તેમણે વનસ્પતિની ગતિવિધિની નોંધ લેતું. ક્રેસ્કોગ્રાફ નામનું અદભુત યંત્ર વિકસાવ્યું કે જે વનસ્પતિની પેશીજાળના હલનચલનને
૨૦,૦૦૦ ગણું મોટું કરીને દર્શાવે, સાથે જ ખાતર, અવાજ અને બીજી ઉદ્દીપક બાબતો પ્રત્યેની નોંધ રાખે છે. ચાલો, જગદીશચંદ્ર બોઝના જીવનકવન અંગે વધુ જાણીએ.

📙 જગદીશચંદ્ર બોઝનો જન્મ ૩૦ નવેમ્બર, ૧૮૫૮માં હાલ બાંગ્લાદેશમાં આવેલા મિમેનસિંઘ ગામમાં થયો હતો. તેમનો પરિવાર વિક્રમસિંહ ગામમાં વસતો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ ગામની જ શાળામાં માતૃભાષામાં પૂર્ણ થયું હતું.

📙 ૧૨ વર્ષની ઉંમરે તેઓ કોલકાત્તા આવ્યા અને સેન્ટ ઝેવિયર્સ શાળામાં પ્રવેશ લીધો. તેમને જીવવિજ્ઞાાનમાં વધારે રુચિ હતી પણ તેઓને પ્રોફેસર ફાધર લાફોટે ભૌતિકશાસ્ત્રના અભ્યાસ માટે પ્રેરિત કર્યા. ફિઝિક્સમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ તેઓ મેડિસિનના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. જોકે, ખરાબ તબિયતને લીધે તેમણે મેડિસિનનો અભ્યાસ પડતો મૂકી કેમ્બ્રિજ યુનિર્વિસટીમાંથી અભ્યાસ કર્યો.

📙 ૧૮૧૫માં ભારત પાછા ફરીને તેમણે પ્રેસિડેન્સી કોલેજમાં અધ્યાપનનું કાર્ય શરૂ કર્યું. એ વખતે અંગ્રેજ શિક્ષકોની સરખામણીમાં ભારતીય શિક્ષકોને ત્રીજા ભાગનો જ પગાર ચૂકવવામાં આવતો. બોઝે આનો જોરદાર વિરોધ કર્યો અને ત્રણ વર્ષ કોઈ જ વેતન લીધા વગર કામ કર્યું. આને લીધે તેઓ દેવાદાર પણ બન્યા તથા ગામની જમીન વેચવાની ફરજ પડી. જોકે, આખરે બોઝની જીત થઈ અને તેમને પૂરું વેતન ચૂકવવામાં આવ્યું. તેઓ એક ઉમદા શિક્ષક હતા.

📙 પ્રાયોગિક શિક્ષણમાં માનતા જગદીશચંદ્રના વિદ્યાર્થી સત્યેન્દ્રનાથ બોઝ તથા મેઘનાથ સાહા એક મહાન વિજ્ઞાની બન્યા. ૧૯૧૭માં અધ્યાપનમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે બોઝ રિસર્ચ ઇન્સ્ટિટયૂટની કોલકાત્તામાં સ્થાપના કરી. તેઓ ૧૯૩૭ સુધી ત્યાં જ કાર્યરત રહ્યા. જગદીશચંદ્ર બોઝને રેડિયો વિજ્ઞાનના પિતામહ ગણવામાં આવે છે. માર્કોનીની શોધનાં બે વર્ષ અગાઉ તેમણે રેડિયો તરંગો અને સંચારની પદ્ધતિ શોધી કાઢી હતી.
📙 આજકાલ માઇક્રોવેવ કે વિકિરણીય ઉપકરણો જે વપરાય છે તેની શોધ બોઝે ૧૯મી સદીમાં કરી નાખી હતી. બોઝે સૂર્યમાંથી મળતી વિદ્યુત ચુંબકીય શક્તિના અસ્તિત્વની તથા તેના ઉપયોગની હિમાયત કરી હતી, જે ૧૯૪૪માં સફળ સાબિત થઈ. ભૌતિકશાસ્ત્રી ઉપરાંત બોસ અચ્છા લેખક, વનસ્પતિશાસ્ત્રી પણ હતા. તેમણે વનસ્પતિમાં જીવ છે તે વાત પ્રતિપાદિત કરી. સજીવ અને નિર્જીવ વિશેની માન્યતાઓ તેમના થકી જ
બદલાઈ. આ માટે તેમણે ક્રેસ્કોગ્રાફ નામના યંત્રની શોધ કરી.

📙 જગદીશચંદ્ર બોઝ મહાન ગણિતશાસ્ત્રી રામાનુજના સમકાલીન હતા. તેઓ કવિવર રવીન્દ્રનાથ ટાગોરના ખાસ મિત્ર પણ હતા. જગદીશચંદ્રને કોમ્પેનિયન ઓફ ઓર્ડર ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર, કોમ્પેનિયન ઓફ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ધ ઇન્ડિયા, નાઇટ બેચલર, સર સહિતની અનેક સન્માનીય ઉપાધિઓ એનાયત કરવામાં આવી હતી. તેઓ રોયલ સોસાયટીના ફેલો પણ હતા. ભૌતિકવિજ્ઞાાન તથા વનસ્પતિશાસ્ત્ર પર તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે. તેઓ સાયન્સ ફિક્શન લખવાના પણ શોખીન હતા.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.