ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Thursday, November 29, 2018

ચિત્ર પરિચય - પાલીતાણા જૈન તીર્થ

🎪 પાલીતાણા જૈન તીર્થ 🎪 
🎪 ધાર્મિક મહાત્મ્ય:- શાશ્વત તીર્થ તરીકે જાણીતા એવા પાલીતાણાની યાત્રા ન કરી હોય તેવા જૈન કદાચ બહુ જ ઓછા જોવા મળશે. શ્વેતાંબર જૈનોમાં આ તીર્થનું માહાત્મ્ય સૌથી વધુ છે. એમ માનવામાં આવે છે કે જૈનોના 24 પૈકીના 23 તીર્થંકરો (નેમિનાથ સિવાયના) આ ટેકરી ઉપર આવ્યા હતા.
🎪 કહેવાય છે કે અહીંના રાયણના વૃક્ષના મૂળ, ફૂલ કે પાનમાં આદિનાથ દેવનો વાસ રહે છે. અજિતનાથ ભગવાન આ પર્વત પર 3000 વાર આવ્યા હતા અને જૈનોના પહેલા તીર્થંકર ઋષભદેવ (આદિનાથ) પ્રભુ પર્વત પર 99 વાર પધાર્યા હતા. પાલીતાણાના પહાડો પર જૈનોના 3000 કરતાં પણ વધારે નાનાં-મોટાં દેરાસરો આવેલાં છે. પાલીતાણા પરથી કરોડો જીવો મોક્ષ પામ્યા હોવાનું માનવામાં આવે છે.

🎪 નિર્માણ:- પાલીતાણાના ભવ્‍ય દેરાસર શૃંખલાનું નિર્માણ ઇ.સ. 13મી સદીના સમયગાળામાં પર્વત પર શરૂ થયું હતું. જૈન ધર્મના શ્રેષ્‍ઠી વસ્‍તુપાલ દ્વારા પાલીતાણાનું નિર્માણ થયું હતું. 1800 ફૂટ ઊંચા પર્વતીય સ્‍થાન પર પહોંચવા 3794 પગથિયાં બનાવવામાં આવ્‍યાં છે.
🎪 પર્વતના શિખર પર પહોંચવાના રસ્‍તે તીર્થંકરોનાં પદચિહ્નો દ્રશ્‍યમાન થાય છે. સમયાંતરે આ સંકુલના દેરાસરોનું સંવર્ધન થતું રહ્યું. અહીં શ્રી આદિનાથ પ્રભુ મૂળનાયક છે. મુખ્‍ય દેરાસરમાં ભગવાન આદિનાથની ભવ્‍ય મૂર્તિ છે. તેના દર્શન કરી શ્રદ્ધાળુઓ ધન્‍ય બને છે. વિક્રમ સંવત 1018 માં આ દેરાસરનું 13મી વખત પુનઃનિર્માણ કરવામાં આવ્‍યું.
🎪 ‘પાલીતાણા’નું મુખ્‍ય દેરાસર મૂળ લાકડાંમાંથી બનાવવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ સમયાંતરે તેનું પુનઃનિર્માણ થતું રહ્યું છે. રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા તેમના મંત્રી ઉદય મહેતાએ આરસપહાણના પથ્‍થરોમાંથી અંદાજે રૂપિયા 2.97 કરોડના ખર્ચે તત્‍કાલીન સમયમાં તેનું નિર્માણ કર્યું. રાજા સિદ્ધરાજના વંશજ અને દાનવીર શ્રેષ્‍ઠી કુમારપાળે દેરાસરને આખરી સ્‍વરૂપ આપી વિસ્‍તાર્યું. હાલનું દેરાસરનું ઇ.સ. 1618 માં નિર્માણ કરવામાં આવ્‍યું. જૈનોના પહેલા તીર્થંકર ઋષભદેવ (આદિનાથ) પ્રભુ પર્વત પર 99 વાર પધાર્યા હતા. પાલીતાણા તીર્થના મૂળનાયક શ્રી આદિનાથની દેરી સુધી પહોંચવા અંદાજે 3794 પગથિયાં ચડવા પડશે. 

🎪 પાલીતાણાના મુખ્ય આકર્ષણો:- 
પાલીતાણા તીર્થ પર સૌથી વધુ માહાત્મ્ય રામપોળનું છે. રામપોળમાં પાલીતાણાના મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનનું દેરાસર છે. તે સિવાય અહીં રાયણ પગલાં, શાંતિનાથ પ્રભુ અને પાર્શ્વનાથ પ્રભુનાં દેરાસર છે. પાલીતાણા ચડવાની શરૂઆત કરો તે તળેટીનું પણ જૈનોમાં અનેરું મહત્વ છે. તળેટીથી થોડાં પગથિયાં ચડ્યાં પછી વિશિષ્ઠ બનાવટવાળું સમવસરણ પણ છે.

🔔 આરતીનો સમય:-
👉 રામપોળ (જ્યાં ભગવાન આદિનાથ પ્રભુનું દેરાસર છે) તેનો દરવાજો સૂર્યોદય થતાં ખૂલે છે. અહીં લાઇનમાં કેસર પૂજાની સવારે 10.30 કલાકથી શરૂ થઇ જાય છે. અહીં આરતી-મંગળદીવો સવારે (10.30થી 11.30)ની આસપાસ થાય છે. જ્યારે સાંજે આરતી-મંગળદીવો 4થી 4.30 દરમિયાન થાય છે. જોકે, શ્રદ્ધાળુઓના ધસારા પ્રમાણે સમયમાં ફેરફાર થઈ શકે છે.

🔔 દર્શનનો સમય:-
👉 સૂર્યોદયથી સાંજે આરતી-મંગળદીવો ઊતરે ત્યાં સુધી દર્શન કરી શકાય. 

🎪 નજીકનાં મંદિરો:-
👉 શ્રી હસ્તગિરિ તીર્થ: પાલીતાણાથી 18 કિમી દૂર આવેલું છે, શ્રી ચંદ્રોદય રિલિજિયસ ટ્રસ્ટ ઓફિસ, મુ. પો. જાળિયા(અમરાજી) - 364270  ફોન નં: 02848-284101
👉 શ્રી શેત્રુંજય ડેમ દેરાસર પાલીતાણાથી તળાજા જવાના રસ્તે આશરે 12 કિમીના અંતરે શેત્રુંજય ડેમ પાસે દેરાસર આવેલું છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની સુંદર પ્રતિમા છે.

🎪 પાલીતાણામાં તળેટી નજીક અનોખું બાંધકામ ધરાવતું સમવસરણ આવેલું છે ત્યાં રહેવાની સુવિધા છે. 125 થી વધુ ધર્મશાળા અને 50 જેટલી ભોજનશાળા આવેલી છે. 

🎪 બુકિંગ કેવી રીતે:- 
પાલીતાણાનો STD કોડ: 02848
આગમ મંદિર: 252195
ઓસવાલ યાત્રિક ભુવન: 252240/251001
સાદડી ભુવન: 252368/242259 
ગિરિવિહાર: 252258
ધાનેરા ભવન: 242174
જંબુદ્વીપ: 242022/252307
ભેરુ વિહાર 242984/252784

🎪 ચોમાસા દરમિયાન શાસ્ત્રોનુસાર જાત્રા નિષેધ હોય છે. અહીં કાર્તકી પૂનમ અને ફાગણ સુદ તેરસ (છ ગાઉની જાત્રા) દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં જૈનો આવે છે. તેથી આ સમયગાળા દરમિયાન રૂમ મળવામાં થોડી મુશ્કેલી થઇ શકે છે. 

🎪 સરનામું:-
પાલીતાણા તીર્થ, શેઠ આણંદજી કલ્યાણજી, રજની શાંતિ માર્ગ, પાલીતાણા – 364270.

ફોન નંબર:-  (02848) 253656, (02848) 252148

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.