ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Friday, January 11, 2019

ચિત્ર પરિચય - વિવેકાનંદ રૉક મેમોરિયલ, તમિલનાડુ

🏢 વિવેકાનંદ રૉક મેમોરિયલ 🏢

🏢  વિવેકાનંદ રોક મેમોરિયલ અથવા વિવેકાનંદ શિલા એ ભારતના દક્ષિણ છેડે આવેલા કન્યાકુમારી ખાતે મુખ્ય ભુમિથી ૪૦૦ મીટર દૂર હિંદ મહાસાગરમાં આવેલું સ્મારક છે. ભારતીય આધ્યાત્મિકતાનો પશ્ચિમી વિશ્વને પરિચય કરાવનાર સ્વામી વિવેકાનંદે અહીં સન ૧૮૯૨ માં આ સ્થાને (શિલા પર) સતત ત્રણ દિવસ સાધના કરીને જ્ઞાનપ્રાપ્તિ કરી હતી. આ શિલાને પુરાણ કાળથી પવિત્ર માનવામાં આવે છે અને તેનું પૌરાણિક નામ શ્રીપદ પારાઈ છે જેનો અર્થ કુંવારી દેવીના ચરણ એમ થાય છે. અહીં વિવેકાનંદ રૉક મેમોરિયલ કમીટી દ્વારા ઇસવી સન ૧૯૭૦ એટલે કે સ્વામી વિવેકાનંદના આગમન પછી આશરે પોણી સદી પછી તેમની યાદમાં અહીં ભવ્યાતિભવ્ય એવું સ્મારક બનાવવામાં આવ્યું છે. સ્મારક મુખ્યત્વે બે ભાગમાં વહેંચયેલું છે. એક -વિવેકાનંદ મંડપમ્ અને બીજું- શ્રીપદ મંડપમ્.આ ધ્યાન મંડપની બાંધણીમાં સમગ્ર ભારતની સ્થાપત્યશૈલીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્થળે કોઈપણ વ્યક્તિ ધ્યાન,સાધના કરી શકે છે. આ સ્થળે પહોંચવા માટે નજીવા દરે ફેરી સેવા(બોટ સર્વિસ)ની વ્યવસ્થા છે. આ સાથે સ્માર્કાની નીચેના ભાગમાં એક પુસ્ત્કાલય છે જેમાં રામકૃષ્ણ પરમહંસ તથા વિવેકાનંદ સાહિત્ય ઉપલબ્ધ છે.


🏢 હિન્દ મહાસાગર, બંગાળની ખાડી તથા અરબ સાગરના સંગમ સ્થળે આવેલું આ સ્થાનક દુરથી પણ ખુબ જ નયનરમ્ય છે. ભારતીય આધ્યાત્મિકતા, ધર્મ અને દર્શનનું આખી દુનિયામાં પ્રચાર-પ્રસાર કરનારા સ્વામી વિવેકાનંદની જ્ઞાનની સાધના ખૂબ ઉંડી રહી છે. એવું માનવામાં આવે છે કે ઇ.સ 1892માં વિવેકાનંદ કન્યાકુમારી આવ્યા અને સમુદ્રની વચ્ચે એક પહાડ સુધી તરીને ગયા અને ઘ્યાનની મુદ્રામાં રાત પસાર કરી. આ નિર્જન સ્થાન પર સાધના બાદ તેને જીવનનું લક્ષ્ય અને લક્ષ્ય પ્રાપ્તિ હેતુ માર્ગ દર્શન પ્રાપ્ત થયું હતું. આવો જોઇએ શુ રહસ્ય છે આ પહાડનું અને હવે ત્યાં શુ છે.

🏢 વિવેકાનંદ રૉક મેમોરિયલ તમિલનાડુના કન્યાકુમારીમાં વાવાથુરઇમાં સ્થિત પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે. એવું કહેવામાં આવે છે કે 1893માં વિશ્વ ધર્મ સભામાં સામેલ થતા પહેલા વિવેકાનંદ કન્યાકુમારી આવ્યા હતા. એક દિવસ તે તરીને આ વિશાળ શિલા પર પહોંચી ગયા. આ નિર્જન સ્થાન પર સાધના બાદ તેને જીવનનું લક્ષ્ય અને લક્ષ્ય પ્રાપ્તિ હેતુ માર્ગ દર્શન પ્રાપ્ત થયું હતું.

🏢 વિવેકાનંદના તે અનુભવનો લાભ આખા વિશ્વને થયો કારણકે તેને થોડાક સમય બાદ જ તે શિકાગો સંમેલનમાં ભાગ લેવા ગયા હતા. 1893માં આ સંમેલનમાં ભાગ લઇને તેમને ભારતનું નામ રોશન કર્યું હતું.સ્વામી વિવેકાનંદના સંદેશને સાકાર રૂપ આપવા માટે જ 1970માં તે વિશાળ પહાજ પર એક ભવ્ય સ્મૃતિ ભવનનનું નિર્માણ કરવામાં આવ્યું. ભારત જ નહીં આખી દુનિયાથી પ્રવાસીઓ સમુદ્રની લહેરોથી ઘેરાયેલી વિરાસતને જોવા દૂર દૂરથી લોકો આવે છે.

🏢 આ વિવેકાનંદ સ્મારક ભવનને ખૂબ સુંદર મંદિર તરીકે બનાવવામાં આવે છે. તેનું મુખ્ય દ્વાર અત્યંત સુંદર છે. તેની વાસ્તુશિલ્પ અજંતા -ઇલોરાની ગુફાઓના પ્રસ્તર શિલ્પોથી લેવામાં આવ્યું હોય તેમ લાગે છે.


🏢 લાલ રંગના પથ્થરથી નિર્મિત સ્મારક પર 70 ફૂટ ઉંચો ઘુમ્મટ છે જે સમુદ્રની અંદર દૂરથી દેખાય છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે તે ખૂબ સુંદર દેખાય છે.ભવનની અંદર ચાર ફૂટથી ઉંચા પ્લેટફોર્મ પર પરિવ્રાજક સંત સ્વામી વિવેકાનંદની પ્રભાવશાળી મૂર્તિ છે. આ મૂર્તિ કાંસાની બનેલી છે. જેની ઉંચાઇ સાડા આઠ ફૂટ છે. આ મૂર્તિ એટલી પ્રભાવશાળી છે કે તેમા સ્વામીજીનું વ્યક્તિવ્ય એકદમ સજીવ પ્રતીત થાય છે.

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.