📙 મોહનલાલ દવે 📙
📘 મોહનલાલ પાર્વતીશંકર દવે (૨૦-૪-૧૮૮૩) : વિવેચક, નિબંધકાર. જન્મ સુરતમાં. ૧૯૦૫માં સંસ્કૃત વિષયમાં એમ.એ. ૧૯૦૭માં એલએલ.બી. ૧૯૨૦-૧૯૩૬ દરમિયાન સુરત કૉલેજમાં અને ૧૯૩૭-૧૯૪૦ દરમિયાન ખાલસા કૉલેજ, મુંબઈમાં સંસ્કૃતના પ્રાધ્યાપક. સુરતમાં અવસાન.
📚 એમણે આપેલાં પુસ્તકોમાં રસપ્રદ ને હળવી શૈલીમાં લખાયેલા નિબંધસંગ્રહો ‘તરંગ’ (૧૯૪૨) અને ‘સંસ્કાર’ (૧૯૪૪); વિવેચનસંગ્રહો ‘સાહિત્યકળા’ (૧૯૩૮), ‘કાવ્યકળા’ (૧૯૩૮), ‘વિવેચન’ (૧૯૪૧) અને ‘રસપાન’ (૧૯૪૨); મહંમદ પયગંબર, માર્ટિન લ્યૂથર, અશોક અને મહર્ષિ દયાનંદનાં જીવનચરિત્રો આપતું ‘વીરપૂજા’ (૧૯૪૧) તેમ જ ‘લેન્ડોરની જીવનકથા’ (૧૯૫૭) મુખ્ય છે. આ ઉપરાંત એમણે ‘ગદ્યકુસુમો’ (વ્યોમેશચંદ્ર પાઠકજી સાથે, ૧૯૩૧) નું સંપાદન કર્યું છે. ‘લેન્ડોરના કાલ્પનિક સંવાદો’–ભા. ૧, ૨ (૧૯૧૧, ૧૯૧૨), પ્રો. મેકડૉનલકૃત ‘સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ’ (૧૯૨૪), ‘મહાભારતની સમાલોચના’ (૧૯૧૪) વગેરે એમના અનુવાદો છે.
“ હું સાક્ષર નથી; ધંધાદારી લેખક છું. પૈસા આપો તો સારૂં લખી દઉં.” – કદાચ… બહુ ઓછા આર્થિક રીતે સફળ ગુજરાતી લેખકોમાંના એક! — મૂળ લેખ ( ‘ઇન્હેં ન ભુલાના’માં )
📍 જન્મ:-
૧૮૮૩, લીલિયા મોટા,જિ. અમરેલી
📍 અવસાન:-
૨૦, ડિસેમ્બર – ૧૯૬૯
📍 કુંંટુંબ:-
પિતા– ગોપાળજી
( લગ્ન – ૧૯૦૬); સંતાન – બે પુત્રી, એક પુત્ર
📍 શિક્ષણ:-
ગુજરાતી સાત ચોપડી
📍 વ્યવસાય:-
શરૂઆતમાં વતનમાં શિક્ષકની અને પરચુરણ નોકરીઓ. પછી આખું જીવન મૂંગી ફિલ્મોની વાર્તા/ પટકથા લખવામાં.
📍 તેમના વિશે વિશેષ:-
👉 શરૂઆતમાં મહિને સાત રૂપિયાના પગારે શિક્ષક.
👉 નસીબ અજમાવવા ખિસ્સામાં પાંચ રૂપિયાની મુડી લઈને મુંબાઈ પ્રયાણ. શરૂઆત લોજમાં પિરસણિયા તરીકે. ત્યાં એક વેપારીને છાપું કડકડાટ વાંચી સંભળાવતાં તેમને ત્યાં નોકરીએ.
👉 ૧૯૦૫ – મહિને દસ રૂપિયાના પગારે કરાંચી જતી સ્ટીમર પર.
👉 ૧૯૦૬ – કંઠમાળનો રોગ લાગુ પડતાં દેશ પાછા આવ્યા. અનેક દવાઓ લીધી અને ઓપરેશન પણ કરાવ્યું પણ કશો ફરક ન પડતાં નર્મદા કિનારે ૐકારેશ્વર ગયા; અને ત્યાં રોગ દૂર થયો.
👉 ૧૯૦૭ – ઇલેક્ટ્રિકના ધંધામાં નોકરીએ,સાથે સાથે જાહેરખબરો લખવાનું કામ.
👉 નવી શરૂ થયેલી મૂંગી ફિલ્મોનાં ટાઈટલ બનાવવાના કામથી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ. સોરાબજી શેઠ સાથે ૫૦ % ભાગીદારીમાં ધંધો.
👉 ૧૯૧૧ –માણેકજી શેઠના ઇમ્પિરિયલ સિનેમાની જાહેરાત તેમણે લખી હતી.
👉 મહિને ૭૦૦/- રૂપિયાની, એ જમાનામાં મબલખ આવકે પહોંચી ગયા!
👉 ૧૯૧૬-૧૭ પાટણકર ફ્રેન્ડ્સ એન્ડ કમ્પનીમાં ‘કિંગ શ્રીયાલ’ અને ‘રામ વનવાસ’ ફિલ્મોના વાર્તા-સંવાદો લખ્યા. આમાં નવા પ્રયોગો કરવાને કારણે પટકથા લેખક તરીકે પ્રતિષ્ઠીત.
👉 ૧૯૧૯ – કબીર કમાલ; ૧૯૨૦ –કચ દેવયાની બહુ સફળ ફિલ્મો નિવડી.
કોહિનૂર ફિલ્મ કમ્પનીમાં મહિને બે વાર્તાઓ લખી આપવાનો કોન્ટ્રાક્ટ;સાથે ઇમ્પિરિયલ ફિલ્મ કમ્પનીમાં વાર્ષિક ૩૦,૦૦૦ ના મહેનતાણાથી વાર્તા લખવાનો કોન્ટ્રાક્ટ. એ કોન્ટ્રાક્ટ છ વર્ષ ચાલ્યો.
👉 લેખનમાંથી ઘણું કમાયા અને સાંતાક્રુઝમાં ‘ભાસ્કર ભુવન’ નામનો બંગલો બનાવ્યો; અને ઝવેરી બજારમાં દુકાન પણ કરી.
👉 ૧૯૧૮-૧૯૩૩ – ૧૫૦થી વધારે (કદાચ ૩૦૦) મુંગી ફિલ્મોમાં પટકથા અને સંવાદો લખ્યા હતા.
👉 બોલતી ફિલ્મો શરૂ થયા પછી પણ એ સિલસિલો ચાલુ રહ્યો – ઇમ્પિરિયલ, જયન્ત પિક્ચર્સ, સનરાઈઝ ફિલ્મ વિ.માં.
👉 સાન્તા ક્રુઝની આનંદીલાલ પોદ્દાર હાઈસ્કૂલની સ્થાપનામાં નોંધપાત્ર પ્રદાન.
👉 વતનમાં પણ હાઈસ્કૂલ, પુસ્તકાલય, પાઠશાળા અને મદિર બનાવડાવ્યાં હતાં.
👉 પાછલી જિંદગીમાં આંતરડાનું કેન્સર અને પછી પડી જવાને કારણે પગમાં ફ્રેક્ચર.
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.
No comments:
Post a Comment