🎪 વૈષ્ણોદેવી મંદિર 🎪
🎪 ધાર્મિક માહાત્મ્ય:-
👉 ઈસ. ૧૯૮૨માં બનેલું વૈષ્ણોદેવી માતાનું લોકપ્રિય મંદિર અમદાવાદના એસ-જી હાઈવે પર આવેલું છે. તેને આબેહૂબ જમ્મુ-કાશ્મીર સ્થિત માતા વૈષ્ણોદેવીના મંદિરની થીમ પર બનાવવામાં આવ્યું છે.
🎪 ઐતિહાસિક માહાત્મ્ય:-
👉 માતા વૈષ્ણોદેવી મંદિર, જમ્મુ-કાશ્મીરની આબેહૂબ પ્રતિકૃતિ સમાન ભારતભરનું આ એકમાત્ર મંદિર છે. અન્યત્ર વૈષ્ણોદેવીની પ્રતિકૃતિ છે, પરંતુ અહીં જે પ્રકારે મૂળ મંદિર અને ભૂગોળનો આબેહૂબ ખ્યાલ રખાયો છે એ વિશિષ્ટ છે. અમદાવાદના એસ-જી હાઈવે પર આવેલું આ મંદિરનું નિર્માણ ૧૯૮૨માં કરાયું છે. આ મંદિર જમ્મુ-કાશ્મીર સ્થિત માતા વૈષ્ણોદેવીના મંદિરની થીમ પર બનાવવામાં આવ્યું છે.
🎪 મુખ્ય આકર્ષણો:-
👉 શ્રી માતા વૈષ્ણો દેવી મંદિર, પહાડી જેવા વળાંકો પરથી પસાર થવાનો રસ્તો
🔔 આરતીનો સમયઃ-
👉 સવારે 7.30, સાંજે 6.30
🙏 દર્શનનો સમયઃ-
સવારે 5.00થી રાત્રે 10.00
📷 ફોટોગ્રાફીઃ-
મંદિર સંકુલમાં ફોટોગ્રાફીની મંજૂરી નથી.
🚌 કેવી રીતે પહોંચવું:-
🚍 સડકમાર્ગેઃ- પોતાનું વાહન લઈને વડોદરાથી વાયા નડિયાદ-મણિનગર થઈને જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.
🚉 રેલ માર્ગેઃ- મંદિરથી કાલુપુર રેલવે સ્ટેશન 20 કિમી દૂર છે.
✈ હવાઈ માર્ગેઃ- મંદિરથી એરપોર્ટ 15 કિમી દૂર છે.
🎪 નજીકના મંદિરો:-
1). શ્રી ત્રિમંદિર, અડાલજ- 9 કિમી.
2). શ્રી વિશ્વકર્મા મંદિર, ગોતા- 6 કિમી.
3). શ્રી બાલાજી મંદિર, અમદાવાદ-3 કિમી
4). શ્રી ભદ્રકાળી માતા મંદિર, અમદાવાદ -18 કિમી.
5). શ્રી ઈસ્કોન મંદિર, અમદાવાદ- 18 કિમી.
🏢 રહેવાની સુવિધા:-
👉 બહારગામથી આવતા દર્શનાર્થીઓ માટે રહેવાની કોઈ સુવિધા નથી.
🍲 ભોજનની સુવિધાઃ-
👉 યાત્રિકો માટે કાફેટેરિયા-રેસ્ટોરાંમાં જમવાની સુવિધા છે.
📃 સરનામુઃ-
શ્રી વૈષ્ણોદેવી મંદિર, એસજી હાઈવે, અમદાવાદ - 382481
☎ ફોન નં.:- 098985 93934
📣 નોંધ:- શૈક્ષણિક માહિતી, બાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર | મોટીવેશનલ વિડીયો | પ્રેરક વાર્તા Mp૩ | મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ | બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.


No comments:
Post a Comment