ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Friday, December 14, 2018

ચિત્ર પરિચય - સાંદીપની આશ્રમ, પોરબંદર

🎪 સાંદીપની આશ્રમ, પોરબંદર 🎪

🎪 ધાર્મિક માહાત્મ્ય:- 
👉 સાંદીપની આશ્રમમાં પ્રવેશ કરો એટલે કોઈ ઋષિમુનીના આશ્રમની અંદર આવી ગયા હોય તેવું લાગે. કાને પડતો વૈદિક મંત્રોચારનો નાદ અલૌકિક અનુભૂતિ કરાવે છે. અહીં શ્રીહરિ મંદિર બનાવવાનું ભાઈશ્રીનું સ્વપ્ન 13 વર્ષ બાદ પૂર્ણ થયું હતું. સૌરાષ્ટ્રના યુનિક મંદિરમાં તેની ગણના થાય છે. અહીંના મંદિરની મૂર્તિ જયપુરથી મંગાવવામાં આવી હતી.અહીંના શ્રીહરિ મંદિરની સૌરાષ્ટ્રના યુનિક મંદિરમાં ગણના થાય છે.

🎪 નિર્માણ:- 
👉 ઋષિમુનિઓ જે રીતે પ્રાચીન સમયમાં શિષ્યોની ભણાવતા હતા, તે રીતે શિક્ષણ પીરસવાનો ભાઈશ્રીનો પ્રસ્તાવ ગુજરાત સરકારને ખૂબ ગમ્યો અને આ માટે 1991માં ગુજરાત સરકારે પોરબંદર પાસે આ વિદ્યાનિકેતની સ્થાપના માટે 85 એકર જમીન ટ્રસ્ટને ફાળવી. 1992ના ફેબ્રુઆરી મહિનાથી આ આશ્રમ કાર્યરત છે. અહીંના શ્રીહરિ મંદિરનું ખાતમુહૂર્ત 13 મે, 1998માં થયું હતું અને આ મંદિરના નિર્માણકાર્યમાં 7 વર્ષ લાગ્યાં હતાં. મંદિરમાંં સ્થાપિત મૂર્તિને જયપુરમાંથી મંગાવવામાં આવી હતી. સીતા-રામ, લક્ષ્મી-નારાયણ, ભગવાન શિવ, શ્રી હનુમાન, શ્રી ગણેશ અને દુર્ગાની મૂર્તિઓ છે.

🎪 મંદિરનાં મુખ્ય આકર્ષણો:-
👉 આ મંદિરમાં શ્રીરાધા-કૃષ્ણ, સીતા-રામ, લક્ષ્મી-નારાયણ,  ભગવાન શિવ, શ્રી હનુમાન, શ્રી ગણેશ અને દુર્ગાની મૂર્તિઓ છે. મંદિરની દીવાલ ઉપર ભગવાન વિષ્ણુના દશાવતારને બતાવવામાં આવ્યા છે. મંદિરમાં પાટોત્સવ, હોલી, મહાશિવરાત્રી, રામનવમી, જન્માષ્ટમી, નવરાત્રિ, અને દીપાવલી સહિતનાં પર્વોની ધામધૂમથી ઉજવણી કરાય છે.

🔔 આરતીનો સમય:-
📍 મંગલા આરતી: 7.30
📍 દર્શન-: 7.30થી 10.30
📍 રાજભોગ: 10.30થી 11.00
📍 રાજભોગ આરતી અને દર્શન : 11.15થી 1.00
📍 અનવસર ( દર્શન બંધ) :  1.00થી 4.30
📍 સંધ્યા દર્શન : 4.30થી 6.30
📍 શયન ભોગ : 6.30થી 7.00
📍 શયન આરતી : 7.00
📍 દર્શન બંધ : 8.00 

🙏 દર્શનનો સમય:-
📍 સવારે: 7.00થી 11.00, 
📍 સવારે: 11:20થી 12.00, 
📍 સાંજે: 4.00થી 8.00

🚌 કેવી રીતે પહોંચવું:- 
👉 આ આશ્રમ પોરબંદર સિટીથી 8 કિમીના અંતરે આવેલો છે, જે એરપોર્ટની સામે છે. જૂનાગઢથી પોરબંદર 105 કિમી અને રાજકોટથી 180 કિમી છે.

🎪 નજીકનાં મંદિરો:- 
કીર્તિ મંદિર, સુદામા મંદિર, હરસિદ્ધિ મંદિર છે. આ સિવાય દ્વારકા (105 કિમી), સોમનાથ (125 કિમી)

🎪 સાંદીપની આશ્રમમાં રહેવાની વિશાળ વ્યવસ્થા છે. અહીં આતિથ્ય અને વિશ્રાંતિ એમ બે ગેસ્ટહાઉસ આવેલા છે. જેમાં વિશ્રાંતિ એ 8 એપાર્ટમેન્ટનું કોમ્પ્લેક્ષ છે. આતિથ્યમાં 16 રૂમ છે એક રૂમની ક્ષમતા પાંચ વ્યક્તિની છે. અહીં જમવાની પણ વ્યવસ્થા છે.

📃 સરનામું:-  
👉 સાંદીપની વિદ્યાનિકેતન, મહર્ષિ સાંદીપની માર્ગ, એરપોર્ટ સામે, પોરબંદર-360 578

ફોન નંબર:-  909 996 6253

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.