ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Wednesday, November 28, 2018

ચિત્ર પરિચય - અંબાજી

🎪 ભારતભરમાં યાત્રાધામ તરીકે મશહુર અંબાજી માતાનું મંદિર 🎪
🎪 યાત્રાધામ અંબાજી દરિયાઈ સપાટીથી 1600 ફૂટની ઊંચાઈ પર આવેલું છે.
🎪 ધાર્મિક માહાત્મ્યઃ- ભારતભરમાં યાત્રાધામ તરીકે મશહુર એવું શ્રી આરાસૂરી અંબાજી માતા મંદિર બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલું છે. જે એક પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. શક્તિપીઠનું આગવું મહત્વ હોવાથી શૈવ ઉપરાંત લકુલિશ સંપ્રદાયમાં પણ ઘોર સાધના માટે અંબાજી વિશિષ્ટ સ્થાન તરીકે પ્રસિદ્ધ છે.
🎪 અંબાજીમાં કોઇ મૂર્તિની પૂજા થતી નથી, પરંતુ વીસાયંત્રની પૂજા થાય છે. શુદ્ધ સોનામાંથી બનાવેલા આ યંત્રમાં 51 અક્ષરો હોવાનું પ્રમાણ મળે છે. માતાજીના યંત્રના સ્થાનને નજરથી જોવાનું નિષેધ હોઇ પૂજારી આંખે પાટા બાંધીને પૂજા કરે છે. આ યંત્ર કલ્પવૃક્ષ સમાન ગણાય છે.

🎪 પૌરાણિક માહાત્મ્ય:- ભાગવત પુરાણ મુજબ, પ્રજાપતિ દક્ષ રાજાએ બૃહસ્પતિષ્ક નામના યજ્ઞનું આયોજન કર્યુ હતું. દક્ષે બધા દેવોને આમંત્રણ આપ્યુ હતું. પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને આમંત્રણ ન આપ્યું.
🎪 પિતાને ત્યાં યજ્ઞ છે એવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતાં સતિ પાર્વતી પિતાને ઘરે પહોંચી ગયા. એ વખતે દક્ષે શંકર વિશે અપમાનજનક શબ્દો કહેતાં પાર્વતીએ યજ્ઞકુંડમાં પડી જીવ દઈ દીધો. એ પછી ભગવાન શિવે પાર્વતીના દેહને ખભા પર ઉપાડીને તાંડવ નૃત્ય શરુ કર્યું. શિવના ક્રોધથી સમગ્ર સૃષ્ટિ ભયભીત થઈ ગઈ ત્યારે પાર્વતીમાં રહેલી શિવની આસક્તિ નાબુદ કરવા ભગવાન વિષ્ણુએ ચક્ર વડે સતીના દેહના ટૂકડા કરવા માંડ્યા. એ વખતે જ્યાં જ્યાં સતીના દેહના ટૂકડા પડ્યા એ દરેક સ્થાનો શક્તિપીઠ તરીકે ઓળખાય છે. ભાગવત ઉપરાંત સ્કંદ પુરાણ અનુસાર, સતી પાર્વતીના હૃદયનો હિસ્સો જ્યાં પડ્યો એ સ્થાન આરાસુરી શક્તિપીઠ તરીકે ઓળખાય છે.

🎪 મુખ્ય આકર્ષણો:- 
📍 51 શક્તિપીઠો પૈકી 358 સુવર્ણ કળશ ધરાવતી ભારતભરમાં એક માત્ર શક્તિપીઠ છે. 
📍 ભાદરવી પૂનમે ચાર દિવસના વર્ષના સૌથી મોટા મેળાનું આયોજન.
કાર્તિક સુદ એકમ નવા વર્ષ નિમિત્તે ‘અન્‍નકૂટ’નું આયોજન મંદિરના ટ્રસ્‍ટ દ્વારા કરાય છે.
📍 અશ્વિની નવરાત્રી, પોષ સુદ પૂનમ: મા અંબાજીનો જન્‍મોત્‍સવ
📍 ચાચરચોકમાં નવ દિવસીય ગરબા તેમજ ટ્રસ્ટ દ્વારા આઠમે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.
📍 શ્રાવણ વદ-૧૩થી અમાસ: યજ્ઞ, હવન અને અન્‍નકૂટનું આયોજન, આદિવાસી મેળાનું આયોજન.
📍 ભાદરવી પૂનમના અવસરે અહીં ચાર દિવસના વર્ષના સૌથી મોટા મેળાનું આયોજન થાય છે.

🔔 આરતીનો સમય:-
👉 સવારે આરતીઃ 7.00 થી 7.30 વાગ્યે
👉 રાજભોગ આરતીઃ 12.30થી 1.00 વાગ્યે
👉 સાંજે આરતીઃ 7.00થી 7.30 વાગ્યે

🔔 દર્શનનો સમય:-
👏 સવારે દર્શનઃ 7.30થી 10.45 વાગ્યે
👏 બપોર પછી દર્શનઃ 1થી 4.30 વાગ્યે
👏 સાંજે દર્શનઃ 7.30થી 9.15 વાગ્યે

🎪 કેવી રીતે પહોંચવું:-
📍 જમીન માર્ગેઃ અંબાજી જવા માટે ગુજરાતનાં મોટા ભાગનાં સ્થળોએથી બસ ટ્રાન્સપોર્ટની સેવા છે. અંબાજી અમદાવાદથી 190 કિમીના અંતરે આવેલું છે. 
 📍 નજીકનું રેલવે સ્ટેશન: આબુ રોડ છે, જે 24 કિમી દૂર છે.
📍 નજીકનું એરપોર્ટ: અંબાજીથી નજીકનું એરપોર્ટ અમદાવાદ (65 કિમી) અને ઉદેપુર (170 કિમી) દૂર છે. 

🎪 નજીકનાં મંદિરો:-
1).હાટકેશ્વર મંદિર, વડનગર 95 કિમી
2).માતૃગયા તીર્થસ્થાન, સિદ્ધપુર 86 કિમી
3). ઉમિયાધામ ઊંઝા- 99 કિમી.
4). સપ્તેશ્વર મહાદેવ મંદિર 100 કિમી

🎪 51 શક્તિપીઠો પૈકિની આ શક્તિપીઠનું મંદિર પૌરાણિક છે. રહેવા-જમવાની સુવિધા સાથે...

🎪 બુકિંગની સુવિધા:-
શ્રી જગત જનની પથિકાશ્રમ
ફોન :- 02749-262800
શ્રી અંબિકા વિશ્રામગૃહ, અંબાજી 
ફોન :- (02749)-262143
શ્રી અંબિકા ભોજનાલય 
ફોન :- 02749-262505

🎪 સરનામું:- 
☎ અંબાજી મંદિર, તાલુકો- દાંતા, જિલ્લો બનાસકાંઠા-385110 ફોન નંબર: 02749-262136

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.